કોંગ્રેસ પોતાને હરાવવા માટે જ કામ કરે છે: બેની પ્રસાદ
સ્ટીલમંત્રી બેની પ્રસાદ વર્માએ પોતાના આવાસ પર આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગત વર્ષે પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફક્ત તનતોડ મહેનત કરી હતી પરંતુ પ્રદેશમાં કોંગ્રેસનું વાતાવરણ પણ ઉભું કર્યું હતું. પરંતુ કોંગ્રેસના કેટલાક લોકોએ જ તેમના પ્રયત્નો પર પાણી ફેરવી વાળ્યું.
તેમને કહ્યું હતું કે જે રીતે વિધાનસભાની ચુંટણીમાં બટાલા હાઉસ કાંદ અને અનામતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેનાથી કોંગ્રેસની ફજેતી થઇ અને વિપક્ષને તેનો લાભ લીધો. બેની પ્રસાદ વર્માને પૂછવામાં આવ્યું હતું કે અનામત અને બટાલા કાંડનો મુદ્દો કેટલાક કોંગ્રેસી નેતાઓની ભૂલ હતી તો તેમને કહ્યું હતું કે આ ભૂલ નહી પણ કાવતરું હતું કારણ કે સંવિધાનમાં ધર્મના આધારે અનામતની કોઇ વ્યવસ્થા નથી.
કોંગ્રેસને નબળી કરનાર 'કેટલાક કોંગ્રેસી નેતાઓ'ના નામ પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે આ બાબત મને ના પૂછશો તમે લોકો સારી રીતે જાણો છે.