Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરૂ? જાણો કેમ રાજ્ય સરકાર બદલી રહી છે પુરી સિક્યુરિટી સિસ્ટમ?

યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી ઉતારી દેવાના અહેવાલો વચ્ચે હવે સમાચાર આવી રહ્યાં છે કે તેમની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે.

યુપી પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા જઈ રહી છે. આ માટે વિભાગ 1 કરોડથી વધુની કિંમતના અત્યાધુનિક સાધનો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

Yogi Adityanath

અહેવાલો અનુસાર, વિવિધ આતંકવાદી જૂથો અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ તરફથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને દરેક સ્તરે મુખ્યમંત્રીની સુરક્ષા સતત મજબૂત કરાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, સીએમ યોગી પાસે ઝેડ પ્લસ કેટેગરી અને એનએસજી કમાન્ડોનું કવર છે. રાજ્ય પોલીસના બહાદુર જવાનોની ટુકડી પણ તેમની સુરક્ષા માટે દરેક સમયે તૈનાત રહે છે.

પોલીસ વિભાગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિવિધ જિલ્લાઓની મુલાકાત દરમિયાન સુરક્ષાના સ્તરને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન, બોડી વર્ન કેમેરા, ડ્રેસ કોમ અને નાઈટ વિઝનનો વધારાનો કન્સાઈનમેન્ટ પણ ઉમેરવામાં આવશે.

મુખ્યમંત્રીની સાથે રાજ્યપાલની સુરક્ષા પણ મજબૂત કરાશે. આ સંદર્ભે સરકાર દ્વારા એડીજી હેડક્વાર્ટરને જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય વીઆઈપીની રાજ્ય મુલાકાતને ધ્યાનમાં રાખીને રેલીઓ, ધાર્મિક સ્થળો, કુંભ મેળા સહિતની મહત્વની ઈવેન્ટને જોતા 1 કરોડ 2 લાખ 20 હજારના 91 સાધનો ખરીદાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X