શહેરો પછી હવે ગામોને પણ ભરડામાં લઈ રહી છે કોરોનાની ત્રીજી લહેર, ઝડપથી વધી રહ્યા છે કેસ
કોરોના સંક્રમણ શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારી એક વાર ફરીથી દેશને પોતાના ભરડામાં લઈ રહી છે. કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે સંક્રમણ શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. વર્ષની શરુઆતની વાત કરીએ તો શહેરી વિસ્તારો મુંબઈ, દિલ્લી, ચેન્નઈ, કોલકત્તામાં 50 ટકા સંક્રમણના કેસ મળ્યા પરંતુ બુધવારે આમાં ઘટાડો જોવા મળ્યો અને આ જગ્યાઓ પર સંક્રમણના હવે કુલ 35 ટકા કેસ છે. વળી, ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વર્ષની શરુઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના કુલ કેસ માત્ર 6 ટકા હતા પરંતુ છેલ્લા 12 દિવસમાં તે બમણા થઈ ગયા છે અને 12 ટકા સુધી પહોંચી ગયા છે.
વર્ષની શરુઆતના પાંચ દિવસની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કુલ 58000 કેસ જ હતા. પરંતુ છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો આ સંક્રમણની સંખ્યા 2.12 લાખ સુધી પહોંચી ગઈ છે કે જે 266 ટકાનો વધારો છે. આ સમયમાં જો શહેરી વિસ્તારોની વાત કરીએ તો સંક્રમણના કેસ 1.8 લાખથી વધીને 6 લાખ સુધી પહોંચી ગયા કે જે 233 ટકાનો વધારો છે. કે જે ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણથી થોડો ઓછો છે. ભારતમાં ગુરુવારે કોરોનાના 259291 કેસ સામે આવ્યા હતા કે જે ત્રીજી લહેરમાં એક દિવસમાં સર્વાધિક કેસ છે. બુધવારે 18.86 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.