કોરોનાએ પકડી રફ્તાર, 6 દિવસમાં આંકડો થઇ શકે છે 20 હજારને પાર
વિશ્વભરમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ભારતમાં, કોરોનાએ ગતિ પકડી છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો દેશમાં 28 ટકા કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓનો આંકડો 11 હજાર
વિશ્વભરમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ભારતમાં, કોરોનાએ ગતિ પકડી છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો દેશમાં 28 ટકા કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓનો આંકડો 11 હજારને વટાવી ગયો છે. તે જ સમયે, 377 લોકો મૃત્યુ પામ્યા છે. ભારત સરકારે કોરોના ચેપને રોકવા માટે દેશમાં લોકડાઉન મુક્યું છે, તો પણ આંકડા ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.

લાઇવમિન્ટના એક અહેવાલ મુજબ, જો તમે મંગળવારે સાંજ સુધી આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર જારી કરેલા આંકડા પર નજર નાખો તો ભારતમાં છેલ્લા 48 કલાકમાં 28 ટકા કેસ વધી ગયા છે, જેના કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10,815 પર પહોંચી ગઈ છે, જ્યારે આજે આ આંકડો 11 હજારને ઓળંગી ગઈ છે. તે જ સમયે, ભારત આ આંકડાઓ સાથે જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, સિંગાપોરને પાછળ છોડી ગયું છે. જો સ્થિતિ યથાવત રહેશે તો આગામી છ દિવસોમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારનો આંકડો પાર કરી શકે છે.
આ પણ વાંચો: FACT CHECK: ગુજરાતમાં આર્મી ઉતારી હોવાનો દાવો ખોટો












Click it and Unblock the Notifications
