કોરોનાની રસી નહીં લીધી હોય તો દિલ્હીના આ સ્થળોએ નહીં જઈ શકો
કોરોનાની રસી નહીં લીધી હોય તો દિલ્હીના આ સ્થળોએ નહીં જઈ શકો
કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઑમિક્રોને સમગ્ર વિશ્વને ખતરામાં નાખી દીધું છે, ત્યારે દિલ્હી સતર્ક થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઑમિક્રોનને લઈ દિલ્હી સરકારે જાહેર સ્થળોએ પ્રવેશ માટે ઓછામા ઓછી એક વેક્સીનનો ડોઝ લેવો ફરજીયાત કરી દીધો છે.

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે દિલ્હી સરકારે જાહેર સ્થળોએ પ્રવેશ માટે 15 ડિસેમ્બર સુધી ડીડીએમએને એન્ટી કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ આપી શકે છે. લોકોને રોકડ ઈનામ, છૂટ અને લોટરી સાથે પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહન કરી શકે છે.
અધિકારીઓએ કહ્યું કે એમ પણ પ્રસ્તાવિત કરી શકાય છે કે આગલા વર્ષે 31 માર્ચ સુધી સંપૂર્ણપણે રસી લગાનારને જ મોલ અને મેટ્રો સ્ટેશન જેવા જાહેર સ્થળોએ પ્રવેશ આપવા માટે મંજૂરી આપવામાં આવે.
અધિકારીઓ મુજબ જાહેર સ્થળોએ જે લોકોએ વેક્સીનનો ઓછામા ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે તેવા લોકોને જ પ્રવેશની મંજૂરી મળશે. આના માટે દિલ્હી સરકાર 'નો વેક્સીન નો એન્ટ્રી'નો ડીડીએમએને પ્રસ્તાવ આપી શકે છે.












Click it and Unblock the Notifications
