Corona Virus : કોરોનાથી મોતનાં આંકડામાં મોટો ઉછાળો, લાંબા સમય બાદ 666 લોકોના મોત!
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે.
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે. જો કે કેરળમાં મૃત્યુનો આ આંકડો બેકલોગનો આંકડો છે, એટલે કે રાજ્યમાં કોરોનાથી આ પહેલા પણ આટલા મોત થયા હતા, પરંતુ તે નોંધવામાં આવ્યા ન હતા.

કેરળના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22 ઓક્ટોબર સુધી કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,765 પર પહોંચી ગયો છે, જેમાં 563 મૃત્યુનો બેકલોગ છે, જે પહેલા થયા હતા પરંતુ હવે તે નોંધવામાં આવ્યા છે. આમાં શુક્રવારે નોંધાયેલા 99 મૃત્યુનો સમાવેશ થાય છે, 14 જૂન 2020 ના રોજ 292 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ પૂરતા દસ્તાવેજોના અભાવને કારણે તે નોંધવામાં આવ્યાં નહોતા. આ સિવાય કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ 172 લોકોના મોત થયા છે. આ રીતે શુક્રવારે કેરળમાં કોરોનાથી મૃત્યુઆંક 563 હતો. 21 ઓક્ટોબરે કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,202 હતો.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કોરોનાના નવા કેસોમાં ઝડપી ઘટાડો થયો છે. હવે કેટલાક રાજ્યો એવા પણ છે જે ધીમે ધીમે કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે તેના કારણે નિષ્ણાતો માની રહ્યા છે કે જો ત્રીજી લહેર આવે તો પણ તેના વિનાશક પરિણામો જોવા નહીં મળે. જો કે, હજુ પણ આરોગ્ય નિષ્ણાતો લોકોને તહેવારોની સીઝનમાં સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
