નથી ઘટી રહ્યો કોરોનાથી મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં 3403 દર્દીઓના મોત
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો થતો રહે છે, પરંતુ મૃત્યુઆંક ઓછો થાય તેમ લાગતું નથી. કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ફરી એકવાર 3 હજારથી ઉપર નોંધાઈ છે. શુક્રવારે ડેટા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અ
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો થતો રહે છે, પરંતુ મૃત્યુઆંક ઓછો થાય તેમ લાગતું નથી. કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ફરી એકવાર 3 હજારથી ઉપર નોંધાઈ છે. શુક્રવારે ડેટા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 91,702 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 3403 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના 1,34,580 દર્દીઓ સાજા થયા છે.
આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 2,92,74,823 થઈ ગઈ છે અને રિકવર દર્દીઓની સંખ્યા 2,77,90,073 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,63,079 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત છેકે કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને હાલમાં દેશમાં ફક્ત 11,21,671 સક્રિય કેસ છે.