કોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ, 3.78 લાખ દર્દી સાજા થયા
કોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ, 3.78 લાખ દર્દી સાજા થયા
દેશમાં કોહરામ મચાવી રહેલ કોોરનાવાયરસની બીજી લહેરની ગતિ હવે થોડી ઘટતી જણાઈ રહી છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના ત્રણ લાખથી ઓછા કેસ મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ગત એક દિવસમાં કોરોના સંક્રમણના 2,81,386 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે આ દરમ્યાન 3,78,741 દર્દીઓ સાજા થયા છે. જો કે કોરોનાવાયરસથી થનાર મોતની સંખ્યામાં ઘટાડો નથી આવ્યો. ગત 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાવાયરસને કારણે 4106 લોકોના મોત થયાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ સંક્રમણના નવા મામલાના મુકાબલે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધવાથી કોરોનાવાયરસના એક્ટિવ કેસ ઘટીને 35,16,997 થઈ ગયા છે. જ્યારે કોરોનાવાયરસના કારણે અત્યાર સુધી કુલ 2,78,390 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલ કોરોનાવાયરસ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી વેક્સીનના કુલ 18 કરોડ 29 લાખ 26 હજાર 460 ડોઝ આપવામાં આવ્યા છે.
Cyclone Tauktae: IAFએ NDRF જવાનો અને સાધનોને કોલકત્તાથી અમદાવાદ કર્યા તૈનાત