મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત 5 શહેરમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવ્યું
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત 5 શહેરમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવ્યું
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે હાલાત બેકાબૂ થતા જઈ રહ્યા છે. જેને જોતા રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈ સહિત ત્રણ મોટા શહેરોમાં 31 મે સુધી લૉકડાઉન વધારી દીધું છે. જે શહેરોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો ફેસલો લેવામાં આવ્યો છે, તે- મુંબઈ, પુણે, ઔરંગાબાદ, માલેગાંવ અને સોલાપુર છે.

લૉકડાઉન લંબાવ્યું
ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવ રેકોર્ડ વધવાના બધા જ રેકોર્ડ તૂટી ગયા હોવાથી મહારાષ્ટ્ર સરકારે આ શહેરોમાં લૉકડાઉન વધાવાનો ફેસલો લેવો પડ્યો છે. કાલે મહરાષ્ટ્રમાં 1602 નવા કેસ આવ્યા જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ રાજ્યમાં કરોના વાયરસના કુલ કેસ વધીને 27524 થઈ ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે એક દિવસમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં પણ 44નો વધારો થયો છે અને અત્યાર સુધીમાં મૃત્યુનો આંકડો હજારને પાર કરી 1019 થઈ ચૂક્યો છે. એક દિવસમાં જે 44 લોકોના મોત થયા છે, જેમાં એકલા મુંબઈમાં 25, નવી મુંબઈમાં 10, પુણએમાં 2, ઔરગાબાદમાં 2 અને પાનવેલ તથા કલ્યાણમાં 1-1 મોત નોંથાયાં છે.

મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ
કોરોના વાયરસના મામલે મુબઈ માત્ર મહારાષ્ટ્રની જ નહિ બલકે આખા દેશની રાજધાની બની ગયેલ છે, જ્યાં માત્ર ગુરુવારે જ 1000 નવા કેસ સામે આવ્યા. જેને મિલાવી મુંબઈમાં અત્યાર સુધીમા કોરોના વાયરસ પોઝિટિવ દર્દીની સખ્યા વધીને 16500 સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ મુજબ કોરોના વાયરસના વધતા મામલાને જોતા અમે મુંબઈ, પુણે, સોલાપુર, ઔરગાબાદ અને નાશિક જિલ્લાના માલેગાંવમાં 31 મે સુધી લૉકડાઉન વધારવાનો ફેસલો લીધો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ મામલે કેન્દ્રને લેખિત જાણકારી આપશે. કાલે રાજ્યના મુખ્યમત્રી ઉદ્ધ ઠાકરેએ પણ રાજ્યના આ શહેરોમાં પ્રતિબધ વધારવાને લઈ એક બેઠક કરી હતી.

ભારતમાં કોરોનાના કેસ
જો ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કુલ 81970 સંક્રમિતો નોંધાયા છે જેમાંથી 2649ના મોત થયા છે જ્યારે 27920 સાજા થઈને ઘરે પહોંચી ગયા છે જે બાદ હજી પણ 51401 સક્રિય મામલા છે. જ્યારે ગુજરાતમા કુલ 9591 કેસ નોધાયા છે જેમાંથી 586 લોકોના મોત થયાં છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
