Coronavirus: 22 માર્ચથી એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને ભારતમાં પ્રવેશ નહિ
Coronavirus: 22 માર્ચથી એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને ભારતમાં નો એન્ટ્રી
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના વધતા મામલા વચ્ચે સરકારે સાવચેતીના કેટલાય પગલાં ભર્યાં છે. સરકાર તરફથી હવે ઘોષણા કરવામાં આવી છે કે 22 માર્ચથી એકેય આંતરરાષ્ટ્રીય ઉડાણને ભારતમાં પ્રવેશવા દેવામાં નહિ આવે. આની સાથે જ સરકારે એક એડવાઈઝરી જાહેર કરી 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાવાઈરસના કારણે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે અને 173 લોકો આનાી સંક્રમિત થયા છે. સાથે જ હાલ 20 લોકો આ બીમારીથી ઠીક થઈ ચૂક્યા છે.
ભારતે દેશમાં પ્રવેશ કરવા માંગતા વિદેશીઓના વીજા પહેલેથી જ પેન્ડિંગ કરી દીધા હતા. પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરે તેના ોડા સમય પહેલા સરકારે 65થી વધુની ઉંમરના નાગરિકોને ઘરે જ રહેવાની સલાહ આપી છે. આની સાથે જ લોકોને સલાહ આપી છે કે તેઓ ઘરમાં રહે અને 10 વર્,થી ઓછી ઉંમરના બાળકો બહાર ના નીકળે. રેલવે અને એરલાઈન્સના વિદ્યાર્થીઓ, રોગીઓ અને વિકલાંગ વ્યક્તિઓને છોડીને બધી યાત્રા સ્થગિત કરવા માટે કહી દેવામાં આવ્યું છે. આની સાથે જ રાજ્યોને ઈમરજન્સી અને જરૂરી સેવાઓ સિવાય ખાનગી ક્ષેત્ર માટે ઘરેથી જ કામ કરવા સલાહ આપવામાં આવી છે.
Coronavirus: રદ્દ થયેલી 155 ટ્રેનો પર શું લાગશે કેન્સલ ચાર્જ, રેલવેએ આપ્યા રાહતના સમાચાર