કોરોના વાયરસઃ સ્થગિત થયો પદ્મ પુરસ્કાર સમારંભ, એપ્રિલમાં થઈ શકે નવી તારીખની ઘોષણા
ભારત સરકારે આ વર્ષે પદ્મ પુરસ્કાર સમારંભ સમારંભને પણ સ્થગિત કરી દીધા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે. દેશમાં સંક્રમણના કેસો વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારો યોગ્ય પગલાં ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ભારત સરકારે આ વર્ષે પદ્મ પુરસ્કાર સમારંભ સમારંભને પણ સ્થગિત કરી દીધા છે. વળી, શનિવારે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે.
મળતી માહિતી મુજબ કોરોના વાયરસના ખતરાને જોતા રાષ્ટ્રપતિ ભવનમાં 3 એપ્રિલે યોજાનારા પદ્મ પુરસ્કારનો કાર્યક્રમ ટાળી દીધો છે. સમારંભની નવી તારીખની ઘોષણા એપ્રિલ મહિનામાં જ કરવાની સંભાવના છે. ઘણા રાજ્યોમાં શાળા-કોલેજો, થિયેટરો, જિમ અને સાર્વજનિક સ્થળોને પણ માર્ચના અંત સુધી બંધ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી ભારતમમાં અત્યાર સુધી બે મોત પણ થઈ ચૂક્યા છે. આમાંથી પહેલુ મોત કર્ણાટકના 76 વર્ષીય વૃદ્ધનુ થયુ હતુ જ્યારે બીજુ મોત દિલ્લીમાં એક 68 વર્ષીય મહિલાની થયુ છે.
આ પણ વાંચોઃ મલાઈકા અરોરાએ ફોટા ખેંચનારા ફોટોગ્રાફર્સને કર્યો ઈશારો, જુઓ વીડિયો