દેશભરમાં કોરોના વાયરસના કેસો વધીને થયા 2902, અત્યાર સુધી 68ના મોત
કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યામાં વધારો સતત ચાલુ છે અને દેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2902 થઈ ચૂકી છે,
કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યામાં વધારો સતત ચાલુ છે અને દેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2902 થઈ ચૂકી છે, આમાં 2650 એક્ટિવ કેસ છે જ્યારે 183 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 68 લોકોના મોત થઈ ચૂક્યા છે. શનિવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી.

છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસા 355 કેસો સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે જ્યે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 490 સુધી જઈ પહોંચી છે. છેલ્લા બે દિવસોમાં દિલ્લીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમ સાથે જોડાયેલ કોરોના વાયરસથી સંક્રમિત લગભગ 650 કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં તબલીગી જમાતના 41 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 191 સુદી પહોંચી ગઈ છે.
રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 386 સુધી પહોંચી ગઈ છે. આમાં 259 એ લોકો છે જેમણે જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિલ્લીમાં કોરોના વાયરસથી 6 લોકોના મોત થયા છે. વળી, આજે યુપીના આગ્રામાં 25 નવા કેસ કોરોના પૉઝિટીવ કેસોની પુષ્ટિ થઈ છે. બીજી તરફ તેલંગાનાના રંગારેડ્ડીમાં કોરોના સંક્રમિત વૃદ્ધ મહિલાનુ શનિવારે મોત થઈ ગયુ.
દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસે અત્યાર સુધી 59 હજારથી વધુ લોકોના જીવ લઈ લીધા છે અને આનાથી લગભગ 11 લાખ લોકો સંક્રમિત છે. ઈટલીમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 766 મોત થયા છે. આ રીતે ઈટલીમાં અત્યાર સુધી 14461 લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણથી થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 7,402 લોકોના મોત થઈ ચૂક્યા છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
