Coronavirus: કોરોનાને લઈને ભારત સરકાર એક્શન મોડમાં, 27 ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં થશે મૉક ડ્રીલ
ચીનમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિને જોતા ભારતમાં પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 27 ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે.
Coronavirus: કોરોના વાયરસે ચીનમાં મચાવેલા હાહાકાર બાદ વિશ્વભરના દેશોમાં ચિંતા વધી ગઈ છે. ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયુ છે. ભારતમાં કોરોનાની એન્ટ્રી રોકવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યુ હતુ કે મંગળવારે (27 ડિસેમ્બર) કોરોના સંબંધિત ઈમરજન્સી તૈયારીઓની સમીક્ષા માટે દેશભરની હૉસ્પિટલોમાં એક મૉક ડ્રીલનુ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ ડ્રીલમાં સામેલ થઈ શકે છે.

ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી
સમાચાર એજન્સીએ અગાઉ એક ટ્વિટમાં જણાવ્યુ કે ભારત સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનના મંજૂરી આપી દીધી છે. આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. આ રસી સૌથી પહેલા ખાનગી હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. આજથી જ આ રસીને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને એવી પણ માહિતી આપવામાં આવી છે કે નવા વર્ષ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિડ-19 માટે નવી એડવાઇઝરી જાહેર કરશે.
દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુરુવારે કોરોના વાયરસની તૈયારીઓને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. શુક્રવારે આરોગ્ય મંત્રી તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરશે. કોરોનાને લઈને સરકારની તૈયારીઓ અંગેના સવાલ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે અમારી સરકારનો ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળને સર્વગ્રાહી આરોગ્ય સંભાળમાં પરિવર્તિત કરવાનો છે.
અનુરાગ ઠાકુરે સાધ્યુ કોંગ્રેસ પર નિશાન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યુ કે ભારત જોડો યાત્રા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. તેમાં કોણ જોડાઈ રહ્યુ છે તેની અમને પરવા નથી. હવે જો આખી દુનિયામાં ફરી એકવાર કોવિડનુ સંકટ આવ્યુ હોય અને ભારત સરકાર તે માટે પગલાં લઈ રહી હોય તો કોંગ્રેસ પાર્ટી શા માટે તેનો વિરોધ કરી રહી છે? શું કોંગ્રેસ ક્યારેય પ્રજા અને દેશના હિતમાં કોઈ નિર્ણય સ્વીકારશે નહિ? શું ગાંધી પરિવારની જીદ સામે આખો દેશ ઝૂકશે?
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
