Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus Update: કોરોના વાયરસના દૈનિક કેસ 10 હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા, એલર્ટ

Coronavirus Cases In India: ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ગુરુવારે(13 એપ્રિલે) મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 10,158 નવા કેસ નોંધાયા છે. વળી, કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ ગઈ છે.

જો કે, દેશમાં કોવિડના કેસ આગામી 10-12 દિવસ સુધી વધશે અને પછી ઘટશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો મુજબ કોરોના સંક્રમણ હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા અમુક મહિનાઓમાં સંક્રમણ વધ્યુ હોવા છતાં તે હવે જલ્દી ખતમ થઈ જશે.

coronavirus

બુધવારે (12 એપ્રિલ) દેશમાં 7,830 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે (11 એપ્રિલ) કુલ 5,676 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,42,10,127 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. કોરોના રિકવરી રેટ વધીને 98.71% થઈ ગયો છે.

આ દરમિયાન કોરોનાથી 19 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,035 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં મૃત્યુ દર 1.19% છે. સૂત્રો મુજબ કોરોના કેસ ચોક્કસપણે વધશે પરંતુ હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી રહેશે. ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ XBB.1.16 ચિંતાનુ કોઈ કારણ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X