દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 24,354 નવા દર્દી, સક્રિય કેસમાં 197 દિવસ બાદ સૌથી મોટો ઘટાડો
દેશભરમાં કોરોના વાયરસના કેસ આજે શનિવાર(2 ઓક્ટોબર)ના રોજ થોડા ઘટ્યા છે.
નવી દિલ્લીઃ દેશભરમાં કોરોના વાયરસના કેસ આજે શનિવાર(2 ઓક્ટોબર)ના રોજ થોડા ઘટ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના વાયરસના 24,354 નવા કેસ સામે આવ્યા છે. વળી, કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 2 લાખ 73 હજાર 889 છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 197 દિવસમાં સૌથી ઓછી છે.
દેશમાં કોરોના રિકવરી રેટ 97.86 ટકા છે. જે માર્ચ 2020થી સૌથી વધુ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 25,455 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં કોરોના રિકવર થનાર લોકોની સંખ્યા 3,30,68,599 છે. વળી, વીકલી પૉઝિટિવ રેટ 1.68 ટકા હતો. દેશમાં છેલ્લા 99 દિવસોથી કોરોના પૉઝિટિવ રેટ 3 ટકાથી પણ ઓછો છે. વળી, ડેઈલી પૉઝિટિવ રેટ 1.70 ટકા છે જે 33 દિવસથી 3 ટકાથી ઓછો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના ટેસ્ટની સંખ્યા 57.19 કરોડ છે. છેલ્લા 24 કલાકમાં 14,29,258 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી દેશભરમાં કુલ 89.74 કરોડ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે કોરોનાના કુલ કેસોમાંથી 13,834 સંક્રમણના કેસ એકલા કેરળમાં સામે આવ્યા છે. વળી, કુલ મોતમાથી 95 મોત કેરળમાં થયા છે. ગુરુવારે પણ કેરળમાં 15 હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન અહીં 122 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. દેશના કુલ કોરોના કેસમાંથી 55-60 ટકા કેસ એકલા કેરળમાં સામે આવી રહ્યા છે.