Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિત શાહનુ ટ્વિટઃ ભારતીયો પીએમ મોદીના હાથોમાં ખુદને સુરક્ષિત અનુભવે છે

ગૃહમંત્રી અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસામાં ટ્વિટ કર્યુ છે.

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1409 નવા કેસ સામે આવ્યા છે અને 41 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યામુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધે 21393 થઈ ગઈ છે. આમાં 16454 સક્રિય કેસ ષે, 4257 લોકો રિકવર થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 681 મોત થયા છે.

વિશ્વ સમુદાય કરી રહ્યો છે પીએમ મોદીની પ્રશંસા

વિશ્વ સમુદાય કરી રહ્યો છે પીએમ મોદીની પ્રશંસા

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસામાં ટ્વિટ કર્યુ અને કહ્યુ કે ભારતીય લોકો પીએમ મોદીના હાથોમાં પોતાને સુરક્ષિત અનુભવે છે અને વિશ્વ સમુદાય કોવિડ-19 મહામારીને રોકવા માટે પીએમના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે. ગૃહમંત્રીનુ આ ટ્વિટ અત્યાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.

કેન્દ્ર સરકારનુ કડક વલણ

કેન્દ્ર સરકારનુ કડક વલણ

આ પહેલા દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે લડાઈ લડી રહેલા આરોગ્યકર્મીઓની સુરક્ષા વિશે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ છે. બુધવારે ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તે આરોગ્યકર્મીઓ, ચિકિત્સા કર્મચારીઓ અને અન્ય સ્ટાફના વિરોધમાં થતી પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરો અને તેમના વિરોધમાં થતી હિંસાને રોકવા માટે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરો.

જિલ્લા સ્તરે નોડલ અધિકારી નિયુક્ત કરો

ગૃહ મંત્રાલય તરફથી રાજ્યોને એ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રશાસન તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં જે કોવિડ-19થી સંક્રમિત થયેલા કોરોના યોદ્ધાઓના અંતિમ સંસ્કારમાં અડચણ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા એક પત્રમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોથી અનુરોધ કરવામાં આવ્યો છે કે તે જિલ્લા સ્તરે નોડલ અધિકારી નિયુક્ત કરે જે ચિકિત્સા વ્યવસાયકારોના કામકાજ પર કોઈ પણ સુરક્ષા મુદ્દાના નિવારણ માટે 24 કલાક અને સાતે દિવસ ઉપલબ્ધ રહે. હિંસાની કોઈ પણ ઘટના હોવા પર તેને તત્કાલ અને કડક કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવે.

આરોગ્યકર્મીઓ પર હુમલો કર્યો તો થશે જેલ

આરોગ્યકર્મીઓ પર હુમલો કર્યો તો થશે જેલ

કેન્દ્ર સરકાર આરોગ્યકર્મીઓ પર હુમલા રોકવાના ઉદ્દેશથી વટહુકમ લઈને આવી છે. વટુકમમાં આરોગ્યકર્મી પર હુમલાના દોષી સાબિત થનારને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ 1 લાખથી 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે મેડીકલ સ્ટાફ વિરુદ્ધ થતા હુમલાઓ અને ઉત્પીડનને બિલકુલ સહન કરવામાં નહી આવે. આને રોકવા માટે સરકાર આ વટહુકમ લઈને આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X