IPC-CRPC નો નવો ડ્રાફ્ટ સંસદમાં રજુ કરવામાં આવશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હરિયાણાના સુરજકુંડમાં આયોજિત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના દ્વારા સીઆરપીસી અને આઇપીસીમાં સુધારાને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હરિયાણાના સુરજકુંડમાં આયોજિત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના દ્વારા સીઆરપીસી અને આઇપીસીમાં સુધારાને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, સીઆરપીસી અને આઇપીસીમાં સુધારાને લઇને સુચનો પ્રાપ્ત થઇ રહ્યા છે. તેને લઇને મંત્રાણા પણ થઇ છે. હુ તેને વિસ્તાર પૂર્વક જોઇ રહ્યુ છુ. અમે સંસદમાં નવા સીઆરપીસી આઇપીસી ડ્રાફ્ટને લઇને આવીશુ.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યુ કે, અમુક સંગઠન આફસીઆરએ કાયદાના દુરુપયોગ ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ કરી રહ્યા છે. એવામાં આ કાયદામાં બદલાવ કરવાને લઇને અમે હોમ વર્ક કરી લીધુ છે. જલ્દી તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુરજકુંડમાં બે દિવયસીય ચિંતન શિબિબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન 2047 અન પંચ પ્રાણ ક્રિયાન્વય માટે કાર્યયોજના તૈયાર કરવાના ઉદેશ્યનો આયોજન કરવામાં આવી રહ્યુ છુ. વિજન 2047 અને પંચ પ્રાણનો ઉલ્લેખ ગૃહમંત્રી અમિત શાહએ સ્વતંત્ર દિવસના ભાષણમાં કર્યો હતો.
શિબિરમાં પોતાની વાત રાખતા અમિત શાહે કહ્યુ કે, કેન્દ્ર સરકાર વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ સશોધન કરીને ભારતના વિકાસમાં બાધા રૂપ બિન સરકારી સંગઠન સામે કડક પગલા લીધા છે. આ સિવાય શાહે જણાવ્યુ હતુ કે, 2024 સુધીમાં તમામ રાજ્યોમાં રાષ્ટ્રીય તપાસ એજેન્સી NIA નું કાર્યાલય હશે. તેમણે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્યની એ સંયુક્ત જવાબદારી છે. સીમા પારના અફરાધ સામે એક સાથે રહે.
અમિત શાહે કહ્યુ કે, સીમા પારના ક્રાઇમની લડાઇમાં ત્યાર જ સફળતા મળશે. જ્યારે તમામ રાજ્ય એક સાથે મળીને ચર્ચા કરશે. અને રોકવા માટે નિયમ કાયદો બનાવશે. તેમણે કહ્યુ કે, મોદી સરકાર આંતરીક સુરક્ષાના તમામ માનકો પર ખરી ઉતરી છે. પછી ભલે તે જમ્મુ કાશ્મીર હોય કે, પૂર્વોત્તર ભારત હોય કે નશીલા પદાર્થની તસ્કરી હોય.