CSIR-UGC-NET June 2024 : NEET અને NET બાદ હવે CSIR-UGC-NET પરીક્ષા રદ કરાઈ
CSIR-UGC-NET June 2024 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પરિક્ષાઓને શિક્ષણ માફિયાઓના હવાલે કરી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. નીટ અને નેટ બાદ વધુ એક પરિક્ષા રદ કરાઈ છે.
NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. NTAએ આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

પરીક્ષા રદ થવાનું કારણ જણાવતાં NTA એ એક નિવેદનમાં જણાવ્યું કે, અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી રહી છે. આ પરીક્ષાના આયોજન માટેનું સુધારેલું સમયપત્રક પછીથી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
NTA એ CSIR UGC NET પરીક્ષા 2024 એવા સમયે મુલતવી રાખી છે જ્યારે NEET પેપર લીક અને UGC NET પરીક્ષા રદ કરવાને લઈને હોબાળો ચાલી રહ્યો છે.
દેશના અનેક રાજ્યોમાં આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સ્થિતિમાં NTAએ આ પરીક્ષા રદ કરવા પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો આપ્યા છે.
NTA એ તેની સૂચનામાં જણાવ્યું કે, આ પરીક્ષા આયોજિત કરવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. NTAએ વિદ્યાર્થીઓને કોઈપણ નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ https://csimet.nta.ac.in ની મુલાકાત લેતા રહેવાની સલાહ આપી છે.
NTA અપડેટ્સ [email protected] પર પણ જોઈ શકાય છે. આ સિવાય કોઈપણ ક્વેરી માટે ઉમેદવારો NTA હેલ્પ ડેસ્કને 011- 40759000 અથવા 011-69227700 પર કૉલ કરી શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
