Cyclone Yaas: ઝારખંડ પહોંચ્યું વાાવઝોડું, 4ના મોત, 20 જિલ્લામાં રેડ એલર્ટ
Cyclone Yaas: ઝારખંડ પહોંચ્યું વાાવઝોડું, 4ના મોત, 20 જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડું યાસ આજે ઝારખંડમાં દસ્તક આપી ચૂક્યું છે. હાલ ત્યાંના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાએ બંગાળ અને ઓરિસ્સામાં બહુ તબાહી મચાવી છે. આ વાવાઝોડાના કારણે અત્યાર સુધી 4 લોકોના મોત થયાં છે, જેમાંથી 3 ઓરિસ્સાથી અને એક પશ્ચિમ બંગાળથી છે. આ વાવાઝોડાના કારણે ઘણું આર્થિક નુકસાન થયું છે. વાવાઝોડા યાસને કારણે ભદ્રક જિલ્લાના ધામરામાં પૂર જેવા હાલાત બની ગયા છે જ્યારે સમુદ્રનું પાણી કેટલાય ગામોમાં ઘૂસી ગયું છે. જ્યારે ઓરિસ્સામાં પ્રભાવિત વિસ્તારોમાંથી દોઢ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

20 જિલ્લામાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના 11 અને ઓરિસ્સાના 9 જિલ્લા માટે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને આ કારણે ત્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે હાવડા, હુગલી નોર્થ અને દક્ષિણ 24 પરગના, બીરભૂમ, મુર્શિદાબાદમાં તેજ પવન સાથે ભારે વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે યાસના કારણે બંગાળમાં 3 લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. સીએમ મમતા બુનરજી શુક્રવારે પૂર્વી મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગનાના વિસ્તારોનો પ્રવાસ કરનાર છે.

75 કિમીની ગતિએ ઝારખંડમાં એન્ટ્રી
ભારતીય હવામાન વિભાગ તરફથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે યાસે 75 કિમી પ્રતિ કલાકની ગતિએ ઝારખંડમાં એન્ટ્રી કરી છે અને આજે 90 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધશે તેવી આશંકા છે.

60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે
બિહાર, હિમાંચલ,પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં તેજ વરસાદના અણસાર છે જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના એલર્ટ બાદ પ્રશાસને નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, મઉ અને ગાજીપુરમાં ભારેથી અથિ ભારે વરસાદ થઈ શકે છે્. આ જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ
જ્યારે સિદ્ધાર્થ નગર, બસ્તી, મહારાજગંજ, આંબેડકર નગર, જૌનપુર, આજમગઢ, વારાણસી, ભદોહી, ચંદૌલી, મિર્જાપુર અને સોનભદ્રમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુેં છે. જ્યારે કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહિ દિલ્હી, હરિયાણા, ચંદીગઢમાં ધૂળની આંધી ઉઠવાની આશંકા છે. ધૂળની આંધીની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાક હોય શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
