દલાઈ લામાઃ ભારત સામે ક્યારેય નહિ જીતી શકે પાકિસ્તાન, ઈમરાન સારા સંબંધ રાખે તો વધુ સારુ રહેશે
વર્તમાન સ્થિતિ પર તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ પાકિસ્તાનની ઈમરાન સરકારને સલાહ આપી છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે અને વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યુ છે. વળી, વર્તમાન સ્થિતિ પર તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ પાકિસ્તાનની ઈમરાન સરકારને સલાહ આપી છે. દલાઈ લામાએ કહ્યુ કે ઈમરાન ખાન ભલે જોશ બતાવી રહ્યુ હોય પરંતુ તે સત્યથી વાકેફ છે.

યુદ્ધ થયુ તો પાકિસ્તાન ભારતને હરાવી નહિ શકે-દલાઈ લામા
દલાઈ લામાએ કહ્યુ કે પાકિસ્તાનની હાલત ખરાબ છે. ઈમરાન ખાન ભલે જોશ બતાવી રહ્યુ હોય પરંતુ તે સત્ય જાણે છે. ઈમરાન જાણે છે કે જો યુદ્ધ થયુ તો પાકિસ્તાન ભારતને હરાવી નહિ શકે માટે પાકિસ્તાન ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખે તો જ વધુ સારુ રહેશે. દલાઈ લામાએ જમ્મુ કાશ્મીરની પુનગર્ઠનનું પૂરજોશમાં સમર્થન કર્યુ પરંતુ તેમણે ભારત-પાકિસ્તાન ભાગલાને સંપૂર્ણપણે ખોટુ ગણાવ્યુ.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનું કર્યુ પૂરજોશમાં સમર્થન
તિબેટિયન ધર્મગુરુએ કહ્યુ, ‘ભારત સરકારના લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના રૂપમાં બે અલગ કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહિ તે એક જટિલ સવાલ છે પરંતુ હું સમજુ છુ કે ભારત અને પાકિસ્તાન વિભાજન જ ખોટુ થયુ, ગાંધીજી પણ આના વિરોધમાં હતા.' દલાઈ લામાએ કહ્યુ કે ભારત-પાકિસ્તાનના વિભાજનનુ કોઈ કારણ નહોતુ. આજની જ જેમ 1947માં પણ પાકિસ્તાનના ભાગમાં ગયેલા રાજ્યોમાંથી વધુ મુસલમાન ભારતમાં હતા.

નહેરુના કારણે હું ભારતનો મહેમાન - દલાઈ લામા
તેમણે કહ્યુ કે પાકના કબ્જાવાળુ કાશ્મીર ભારતના કાશ્મીરથી બહુ ઓછુ વિકસિત છે. દલાઈ લામાએ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલી યાદો શેર કરી. તેમણે કહ્યુ કે તે પહેલી વાર નહેરુ સાથે 1954માં ચીની પ્રધાનમંત્રી દ્વારા આયોજિત લંચમાં મળ્યા હતા. નહેરુના કારણે તે ભારતના મહેમાન છે. દલાઈ લામાએ જણાવ્યુ કે રાજીવ ગાંધી બુદ્ધિમાન પીએમ હતા. તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે તે ભારતને નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
