ફિલ્મ સ્ટાર આમિર ખાનના બાગમાં ખુંખાર અપરાધીની લાશ મળી
યુપીના હરદોઈમાં શાહબાદ નગરમાં મુહ્લ્લા અખ્તિયારપુરમાં ફિલ્મ અભિનેતા આમિર ખાનનો એક બાગ છે.
યુપીના હરદોઈમાં શાહબાદ નગરમાં મુહ્લ્લા અખ્તિયારપુરમાં ફિલ્મ અભિનેતા આમિર ખાનનો એક બાગ છે. જેમાં વિસ્તારના ખુંખાર અપરાધી સલીમ ઉર્ફ ચાચુઆની સડેલી લાશ મળી. તે છેલ્લા 20 દિવસથી ઘરથી ગાયબ જણાવવામાં આવી રહ્યો હતો. તેના ભાઈ પૂતનએ કપડાં આધારે તેની ઓળખ કરી. હાલમાં ચાચુઆની હત્યા પછી તેની લાશ આમિર ખાનના બાગમાં ફેંકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યુપીના હરદોઈમાં આમિર ખાનનો બાગ છે
ફિલ્મ અભિનેતા આમિર ખાનનો મુહ્લ્લા અખ્તિયારપુરમાં બાગ છે જેની દેખરેખ હાફિઝ અને યુનુસ કરે છે. તે નગરના મહોલ્લા દિલાવરપુર નિવાસી સલીમ ઉર્ફ ચાચુઆ (40) લાશ આ બાગમાં મળી આવી હતી. તેના પર ઘણી ચોકીઓમાં લૂંટફાટ સહીત ઘણા કેસ નોંધાયેલા છે. શાહબાદ ચોકીમાં તેની આખી હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી છે.

અપરાધીની લાશ
મૃતકના ભાઈ પુતને જણાવ્યું કે સલીમ ઘરથી 20 દિવસથી ગાયબ છે. તેને નશાની પણ લત હતી. આમિર ખાનના બાગમાં તેની લાશ પડી હતી. તેને પહેરેલા કપડાં ઘ્વારા તેની ઓળખ કરવામાં આવી. તેની લાશ ઘણી અસ્તવ્યસ્ત અવસ્થામાં પડી હતી. જોતા એવું લાગી રહ્યું હતું કે તેની લાશને જંગલી જાનવરોએ પણ ફાડી ખાધું હતું.

પોલીસ આખા મામલે તપાસ કરી રહી છે
જણાવવામાં આવી રહ્યું છે કે તે નજીકના એક મોહલ્લામાં આવતો જતો હતો, જ્યાં તે નશો કરતો હતો. સૂચના મેળવીને દીનાનાથ મિશ્રા પોલીસબળ સાથે જગ્યા પર પહોંચ્યા અને લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. એસપી આલોક પ્રિયદર્શી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રિપોર્ટ આવ્યા પછી જ તેની મૌતનું રહસ્ય ખુલી શકશે.












Click it and Unblock the Notifications
