દિલ્હીમાં મોટો અકસ્માત, ગોડાઉનની દિવાલ પડતા 5 મજુરોના મોત, 9 ઘાયલ
રાજધાની દિલ્હીના અલીપોરમાં શુક્રવારે બપોરે એક વેરહાઉસની દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આમાં ઓછામાં ઓછા 4 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
રાજધાની દિલ્હીના અલીપોરમાં શુક્રવારે બપોરે એક વેરહાઉસની દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આમાં ઓછામાં ઓછા 5 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.આ મોટી દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે વેરહાઉસમાં 15 થી 20 મજૂરો કામ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદ મળવા છતાં ડીએમ અને એસડીએમ ઓફિસે ગેરકાયદે ગોડાઉનનું નિર્માણ અટકાવ્યું ન હતું.
પોલીસનું કહેવું છે કે દિવાલ ધરાશાયી થયા બાદ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તે જ સમયે, ઘાયલોમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે.