ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો છે. સ્વાઈન ફ્લૂથી પીડિત અમિત શાહને ઈલાજ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ખુદ ટ્વીટ કરી સ્વાઈન ફ્લૂ થયો હોવાની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે મને સ્વાઈન ફ્લૂ થયો છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઈશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી તુરંત સ્વસ્થ થઈ જઈશ. જાણકારી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ સ્વાઈન ફ્લૂની પુષ્ટિ કરી છે.

અમિત શાહના સ્વાસ્થ્યની જાણકારી મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમના સ્વાસ્થ્યની કામના કરતા ટ્વીટ કર્યું અને લખ્યું કે અમિતભાઈ, તમે જલદી સ્વસ્થ થઈ જાઓ તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રેલવે મંત્રી મનોજ સિન્હાએ પણ ટ્વીટ કરી તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. બિહારથી સાંસદ રામકૃપાલ યાદવે પણ અમિત શાહની જલદી સ્વસ્થ થવાની કામના કરી અને ટ્વીટમાં લખ્યું કે જલદીમાં જલદી તમે સાજા થઈ જાવ તેવી ભગવાનને પ્રાર્થના.
मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।
— Amit Shah (@AmitShah) January 16, 2019
જણાવી દઈએ કે 20 જાન્યુઆરીથી ભાજપ પશ્ચિમ બંગાળમાં રેલિઓની શરૂઆત કરવા જઈ હ્યું છે, જેમાં અમિત શાહ પણ સંબોધિત કરવાના છે, પરંતુ તેમના સ્વાસ્થ્યને જોતાં હવે મુશ્કેલ લાગી રહ્યું છે.
આ પણ વાંચો- વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ












Click it and Unblock the Notifications
