Arvind Kejriwal: દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ ફરીથી બોલાવ્યા, મોકલ્યુ ચોથુ સમન

ED summons Delhi CM Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પૉલિસી કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ મોકલ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ ચોથું સમન્સ છે.

અગાઉ, ઈડીએ તેમને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ કેજરીવાલે કહ્યું હતું કે તેમને મોકલવામાં આવેલ સમન્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેથી તેઓ હાજર નહીં થાય. ચોથા સમન્સમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.

Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી માટે તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ 18થી 20 જાન્યુઆરી સુધી ગોવામાં હોઈ શકે છે. નોંધનીય છે કે જ્યારે ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું ત્યારે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સમન્સના બહાને તેમની ધરપકડ કરવા માંગે છે.

પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે તેમના વકીલોએ તેમને કહ્યું કે આ સમન્સ ગેરકાયદેસર છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, 'ઈડીનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી, તેનો ઉદ્દેશ્ય કેન્દ્રના કહેવા પર મારી ધરપકડ કરવાનો છે, જેથી હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું. જો લિકર પૉલિસી મામલે કોઈ કૌભાંડ થયું હોત તો તેમને કંઈક મળ્યું હોત, પરંતુ ભ્રષ્ટાચાર ન હોવાથી ઈડીને એક પૈસો મળ્યો નથી. ઈડીએ ખોટા આરોપમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરી છે અને હવે હું તેમનો નિશાન છું.'

ભાજપનું કહેવું છે કે દારૂ નીતિ કૌભાંડના અસલી માસ્ટરમાઈન્ડ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે. ભાજપે આરોપ લગાવ્યો કે જો અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હોય તો તેમણે ઈડી સમક્ષ પોતાનો મત રજૂ કરવો જોઈએ. પરંતુ, તેઓ વારંવાર સમન્સની અવગણના કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X