Arvind Kejriwal: દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ ફરીથી બોલાવ્યા, મોકલ્યુ ચોથુ સમન
ED summons Delhi CM Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પૉલિસી કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ મોકલ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ ચોથું સમન્સ છે.
અગાઉ, ઈડીએ તેમને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ કેજરીવાલે કહ્યું હતું કે તેમને મોકલવામાં આવેલ સમન્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેથી તેઓ હાજર નહીં થાય. ચોથા સમન્સમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.

અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી માટે તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ 18થી 20 જાન્યુઆરી સુધી ગોવામાં હોઈ શકે છે. નોંધનીય છે કે જ્યારે ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું ત્યારે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સમન્સના બહાને તેમની ધરપકડ કરવા માંગે છે.
પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે તેમના વકીલોએ તેમને કહ્યું કે આ સમન્સ ગેરકાયદેસર છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, 'ઈડીનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી, તેનો ઉદ્દેશ્ય કેન્દ્રના કહેવા પર મારી ધરપકડ કરવાનો છે, જેથી હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું. જો લિકર પૉલિસી મામલે કોઈ કૌભાંડ થયું હોત તો તેમને કંઈક મળ્યું હોત, પરંતુ ભ્રષ્ટાચાર ન હોવાથી ઈડીને એક પૈસો મળ્યો નથી. ઈડીએ ખોટા આરોપમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરી છે અને હવે હું તેમનો નિશાન છું.'
ભાજપનું કહેવું છે કે દારૂ નીતિ કૌભાંડના અસલી માસ્ટરમાઈન્ડ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે. ભાજપે આરોપ લગાવ્યો કે જો અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હોય તો તેમણે ઈડી સમક્ષ પોતાનો મત રજૂ કરવો જોઈએ. પરંતુ, તેઓ વારંવાર સમન્સની અવગણના કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
