ઉત્તર ભારત ઠંડુગાર, અત્યારસુધી 129ના મોત, લોકો પરેશાન

નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ સતત ઠંડીના રાજધાની દિલ્હીને થથરાવી રહી છે. શનિવારે સવારે દિલ્હીના ન્યૂનતમ તાપમાન 2.9 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું. ઠંડીના કારણે સૌથી વધારે પરેશાન મુસાફરો થયાં છે, કારણ કે, ગાઢ ધુમ્મસની અસર ટ્રેન અને ફ્લાઇટ્સ પર પડી છે. હવામાન ખરાબ હોવાના કારણે 51 ટ્રેન લેટ છે, જ્યારે 14 ટ્રેનને રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આવનારા સમયમાં પણ હવામાન આવું જ રહેશે અને ઠંડીના કારણે દિલ્હી આ રીતે જ ઠંડુગાર રહેશે.

fareedabad-weather
એટલું જ નહીં, ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. લોકો ઠંડીના કારણે ઘણા પરેશાન છે. ઠંડીના કારણે ત્યારસુધીમાં 129 લોકોના મોત નીપજ્યાં છે. જો કે, રાજ્ય સરકારો તરફથી લોકોને ઘાબળા સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં લોકોને ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે. રાજધાની લખનૌમાં સવારે ન્યૂનતમ તાપમાન 2.1 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે કારણ વગર ઘરની બહાર ના નીકળે. ઠંડા પવનના કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં ઉંડી અસર પહોંચી છે. ખાસ કરીને આ વાતાવરણ બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. બહાર જવું અનિવાર્ય જ હોય તો સંપૂર્ણ વસ્ત્રો પહેરીને નીકળો, જેમાં માથું ઢંકાયેલું હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X