દિલ્હી સરકારને મળી રેપિડ ટેસ્ટીંગ કીટ, કાલથી ટેસ્ટ થશે શરૂ
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે કહ્યું હતું કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1767 કેસ નોંધાયા છે. તેમાંથી 67 કેસ શુક્રવારે આવ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત નીપજ્યાં
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે કહ્યું હતું કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1767 કેસ નોંધાયા છે. તેમાંથી 67 કેસ શુક્રવારે આવ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત નીપજ્યાં છે. 911 દર્દીઓ મોટી હોસ્પિટલોમાં દાખલ છે, તેમાંથી 27 આઇસીયુમાં છે અને 6 વેન્ટિલેટર પર છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે અમને કોરોના પરીક્ષણ માટે 42,000 રેપીડ ટેસ્ટીંગ કીટ મળી છે, તેનો ઉપયોગ કરવાની તાલીમ ચાલી રહી છે. તમામ કન્ટેન્ટ ઝોનથી પરીક્ષણ શરૂ કરવામાં આવશે. અમે કેન્દ્ર સરકાર પાસે 1 લાખ રેપિડ ટેસ્ટીંગ કીટની માંગ કરી હતી.
તેમણે માહિતી આપી હતી કે કન્ટેસ્ટન ઝોનના વિસ્તારોના લોકોની આ રેપિડ ટેસ્ટીંગ કીટથી તપાસ કરવામાં આવશે. આ પરીક્ષણ રવિવાર એટલે કે આવતીકાલે રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં 08 નવા હોટસ્પોટ્સ ઘોષિત કરી અને સીલ કરવામાં આવ્યા છે. હવે અહીં કોરોના હોટસ્પોટ્સની સંખ્યા વધીને 68 થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, 03 થી વધુ કોરોનાના ચેપ લાગશે તેવા ક્ષેત્રને સીલ કરી દેવામાં આવશે અને તેને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવશે.
આ વિસ્તારો કન્ટેનમેન્ટ જાહેર કરાયા હતા
તે જ સમયે, રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કિસ્સાઓમાં કન્ટેન્ટ ઝોનની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અધિકારીઓએ કહ્યું કે માલવિયા નગર અને જહાંગીરપુરી સહિતના વિવિધ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં શામેલ કરવા સાથે, આ વિસ્તારોની સંખ્યા વધીને 68 થઈ ગઈ છે. દક્ષિણ દિલ્હીના ડીએમ બી.એમ. મિશ્રાએ કહ્યું કે સંગમ વિહારમાં એક જગ્યા કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: પુત્રના લગ્ન પર કુમારસ્વામીઃ DMએ આપી હતી મંજૂરી, માસ્ક અનિવાર્ય નથી