પુત્રના લગ્ન પર કુમારસ્વામીઃ DMએ આપી હતી મંજૂરી, માસ્ક અનિવાર્ય નથી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે લૉકડાઉન દરમિયાન પોતાના દીકરાના લગ્ન કરતા તે વિરોધ પક્ષના નિશાન પર પણ આવી ગયા.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે લૉકડાઉન દરમિયાન પોતાના દીકરાના લગ્ન કર્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગની જોરદાર ધજિયા ઉડી સાથે જ કુમારસ્વામી વિરોધ પક્ષના નિશાન પર પણ આવી ગયા. હવે આ મામલે કુમારસ્વામીએ પોતાના પરિવારનો બચાવ કર્યો છે. સાથે જ ભાજપ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. કુમારસ્વામીના દીકરી નિખિલના લગ્ન કોંગ્રેસના પૂર્વ મંત્રી એમ. કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે થયા છે.

જિલ્લાધિકારીએ લગ્ન સમારંભની અનુમતિ આપી હતી
ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં કુમારસ્વામીએ કહ્યુ કે કોરોના સંકટના આ સમયમાં થયેલા લગ્ન દરમિયાન તેમના તરફથી દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમને ચેલેન્જ કરતા કહ્યુ કે જો કોઈ પણ ગરબડ થઈ હોય તો તેમના પર કાર્યવાહી કરો. જિલ્લાધિકારીએ લગ્ન સમારંભની અનુમતિ આપી હતી. સાથે જ સમારંભમાં જેટલા પણ વાહન હતા, બધાના પાસ હતા. વળી, માસ્ક પહેરવા સવાલ પર તેમણે કહ્યુ કે WHOએ એવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી જેમાં બધા માટે માસ્ક પહેરવુ અનિવાર્ય હોય.

ભાજપ પર આરોપ
તેમણે જણાવ્યુ કે આ સમારંભમાં માત્ર ખાસ સંબંધીઓ જ શામેલ થયા હતા. વળી, બીએસ યેદિયુરપ્પા પર હુમલો કરીને તેમણે કહ્યુ કે થોડા દિવસ પહેલા મુંબઈના બાંદ્રા સ્ટેશન પર જે નિયમોની ધજિયા ઉડી હતી અને હજારો લોકો ભેગા થયા હતા તેના માટે કોણ જવાબદાર હતુ. તેમના ત્યાં લગ્ન સમારંભમાં માત્ર નજીકના સંબંધીઓ જ શામેલ થયા હતા. વળી, મીડિયા રિપોર્ટ પર બોલતા તેમણે કહ્યુ કે અમુક ચેનલ લૉકડાઉનના નિયમો તોડવાનો આરોપ લગાવીને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની ધરપકડની માંગ કરી રહ્યા છે, આ સમાચારોથી તેમને દુઃખ પહોંચ્યુ છે.

ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો
વળી, લગ્ન સમારંભ બાદ કુમારસ્વામીએ ટ્વિટ કરીને શુભકામનાઓ માટે સમર્થકોનો આભાર માન્યો. વળી, એક બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ કે આ મુશ્કેલીનો સમય ખતમ થયા બાદ બધા સાથે બેસીને જમીશુ. વળી, લગ્નનો ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર ભડક્યા. લોકોનુ કહેવુ છે કે સરકાર માત્ર ગરીબો પર જ કાર્યવાહી કરી શકે છે. મોટા લોકોને નિયમો તોડવાની છૂટ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
