નૉર્થ ઈસ્ટ દિલ્લી હુલ્લડઃ ઉમર ખાલિદનુ નિવેદન વાંધાજનક પરંતુ આતંકી કૃત્ય નહિઃ કોર્ટ
જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય.
નવી દિલ્લીઃ જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણમાં ઉમર ખાલિદની ભાષા યોગ્ય નહોતી પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય અને યુપીએ કાયદા હેઠળ કેસમાં તેની ધરપકડ પણ ના કરી શકાય. વાસ્તવમાં, 24 માર્ચે નીચલી અદાલતે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ દિલ્લી હાઈકોર્ટમાં આને પડકારવામાં આવી હતી.

જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે કહ્યુ કે ભાષણની ભાષા ખોટી હોવાને કારણે તે આતંકવાદી કૃત્ય નથી બની જતુ અમે તે સમજીએ છીએ. વાણીની ભાષાને હાનિકારક કહી શકાય પણ આતંકવાદી પ્રવૃત્તિ ન કહી શકાય. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોતાની દલીલો આપી હતી. આ દરમિયાન ઉમર ખાલિદે 17 ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.
જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020ના રમખાણોમાં તેની ભૂમિકા બદલ ઉમર ખાલિદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ સનાયા કુમારે સાક્ષીના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે સીલમપુરમાં આયોજિત બેઠક ગોપનીય ન હતી, ન તો તે કોઈ ગુપ્ત કાર્યાલયમાં યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે શરજીલ ઈમામ વિરુદ્ધ જામીન અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. શરજીલ ઈમામે 27 મેના રોજ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં અરજી કરીને જામીન પણ માંગ્યા છે. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી








Click it and Unblock the Notifications
