નૉર્થ ઈસ્ટ દિલ્લી હુલ્લડઃ ઉમર ખાલિદનુ નિવેદન વાંધાજનક પરંતુ આતંકી કૃત્ય નહિઃ કોર્ટ
જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય.
નવી દિલ્લીઃ જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણમાં ઉમર ખાલિદની ભાષા યોગ્ય નહોતી પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય અને યુપીએ કાયદા હેઠળ કેસમાં તેની ધરપકડ પણ ના કરી શકાય. વાસ્તવમાં, 24 માર્ચે નીચલી અદાલતે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ દિલ્લી હાઈકોર્ટમાં આને પડકારવામાં આવી હતી.

જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે કહ્યુ કે ભાષણની ભાષા ખોટી હોવાને કારણે તે આતંકવાદી કૃત્ય નથી બની જતુ અમે તે સમજીએ છીએ. વાણીની ભાષાને હાનિકારક કહી શકાય પણ આતંકવાદી પ્રવૃત્તિ ન કહી શકાય. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોતાની દલીલો આપી હતી. આ દરમિયાન ઉમર ખાલિદે 17 ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.
જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020ના રમખાણોમાં તેની ભૂમિકા બદલ ઉમર ખાલિદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ સનાયા કુમારે સાક્ષીના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે સીલમપુરમાં આયોજિત બેઠક ગોપનીય ન હતી, ન તો તે કોઈ ગુપ્ત કાર્યાલયમાં યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે શરજીલ ઈમામ વિરુદ્ધ જામીન અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. શરજીલ ઈમામે 27 મેના રોજ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં અરજી કરીને જામીન પણ માંગ્યા છે. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
