JNUની પૂર્વ છાત્રા શેહલા રશીદ સામે કેસ ચલાવવાની મંજૂરી, સેના વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની છાત્રા શેહલા રશીદ પર સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
JNU Shehla Rashid: જેએનયુની પૂર્વ છાત્રા શેહલા રશીદ પર કેસ ચલાવવાની મંજૂરી ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આપી દીધી છે. જેએનયુ છાત્ર સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ અને આઈસાની સભ્ય શેહલા રાશિદ પર સેના વિરોધી ટ્વિટ માટે દેશદ્રોહના આરોપમાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉપ રાજ્યપાલ વી કે સક્સેનાએ શેહલા વિરુદ્ધ સેના વિરોધી ટ્વીટ કરવા બદલ તેની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્લી સ્થિત વકીલ અલખ આલોક શ્રીવાસ્તે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શેહલા રશીદે ભારતીય સેના વિશે બે ટ્વિટ કર્યા હતા. દિલ્લીની એલજી ઑફિસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, 'ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ જેએનયુના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને એઆઈએસએ સભ્ય શેહલા રશીદ પર ભારતીય સેના વિશે 2 ટ્વીટ પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી જેનો હેતુ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનો અને સદભાવની જાળવણી માટે પ્રતિકળ કૃત્યોમાં શામેલ હોવાનો હતો.
તમને જણાવી દઈએ કે 2019માં કાશ્મીર સ્થિત શેહલા રશીદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે તેણે તેના ટ્વિટમાં દાવો કર્યો હતો કે, 'સશસ્ત્ર દળો જમ્મુ અને કાશ્મીરમાં ઘરોમાં ઘૂસી રહ્યા છે, છોકરાઓને ઉપાડી રહ્યા છે, ઘરોમાં તોડફોડ કરી રહ્યા છે, જાણીજોઈને ફ્લોર પર રાશન ફેંકી રહ્યા છે, ચોખામાં તેલ ભેળવી રહ્યા છે.' બીજા ટ્વીટમાં લખ્યુ હતુ કે, '4 લોકોને શોપિયાંમાં આર્મી કેમ્પમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમની નજીક એક માઈક મૂકવામાં આવ્યુ હતુ જેથી સમગ્ર વિસ્તાર તેમની ચીસો સાંભળી શકે અને ભયભીત થઈ જાય. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
