‘ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આ હડતાળ પ્રાયોજિત છે અને ભાજપના ઈશારે કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર અને દિલ્લી સરકાર વચ્ચે છેડાયેલી જંગ વચ્ચે આજે દિલ્લીમાં સામાન્ય જનનતાને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્લીમાં 400 પેટ્રોલ પંપ આજે હડતાળ પર છે. પેટ્રોલ પંપ માલિકોએ કેજરીવાલ સરકારના નિર્ણયના વિરોધમાં આ બંધનું એલાન કર્યુ છે. પરંતુ આ હડતાળનું ઠીકરુ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર ફોડ્યુ છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આ હડતાળ પ્રાયોજિત છે અને ભાજપના ઈશારે કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ માલિકોનો પક્ષ
વાસ્તવમાં પેટ્રોલપંપ માલિકોનું કહેવુ છે કે કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે જ્યારે પડોશી રાજ્ય હરિયાણામાં પેટ્રોલ સસ્તુ છે. જેના કારણે લોકો હરિયાણાની સીમા પર સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. જેના કારણે તેમને ઘણુ નુકશાન વેઠવુ પડી રહ્યુ છે. આ કારણે તમામ પેટ્રોલ પંપ માલિકોએ દિલ્લીમાં એક દિવસની હડતાળનું એલાન કર્યુ છે. પેટ્રોલ અને ડીઝલની ઘટના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કેજરીવાલે સાધ્યુ નિશાન
પેટ્રોલ પંપની હડતાળ પર કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે પેટ્રોલ પંપ માલિકોએ મને ગોપનીય રીતે જણાવ્યુ છે કે આ હડતાળ ભાજપના ઈશારે કરવામાં આવી રહી છે જેને તેલ કંપનીઓનું સમર્થન મળેલુ છે. એટલુ જ નહિ ભાજપે પેટ્રોલ પંપ માલિકોને ધમકી આપી છે કે જો તે હડતાળમાં ભાગ નહિ લે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે આવનારી ચૂંટણીમાં લોકો ભાજપની ગંદી રાજનીતિનો જડબાતોડ જવાબ આપશે.

કેન્દ્ર સરકારે હતી અપીલ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ 1.50 રૂપિયા સસ્તુ થઈ ગયુ હતુ. ત્યારબાદ સરકાર તરફથી તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવી હતી કે તે રાજ્ય સરકાર તરફથી લગાવવામાં આવેલ વેટ ઘટાડે. જેનાથી સામાન્ય જનતાને રાહત મળી શકે. સરકારની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડી દેવામાં આવ્યો. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ 2.50 રૂપિયા સસ્તુ થઈ ગયુ. પરંતુ દિલ્લીમાં આપ સરકારે આમ કરવાનો ઈનકાર કરી દીધો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
