દિલ્હી: પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા. જ્યાં તેઓ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મળતી માહિતી મુજબ પીએમ મોદી અને જાપાનના પીએમ દ્વિપક્ષીય વાત
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા. જ્યાં તેઓ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મળતી માહિતી મુજબ પીએમ મોદી અને જાપાનના પીએમ દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. અગાઉ વર્ષ 2018માં ટોક્યોમાં ભારત અને જાપાન વચ્ચે શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જાપાની પીએમની આ ભારત મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અને જાપાનના પીએમ વચ્ચે યુક્રેન, ચીનમાં ચાલી રહેલા તણાવ અને રોકાણ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આર્થિક સહયોગ વધારવાની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ વાતચીત થઈ છે.
#WATCH | Japanese Prime Minister Fumio Kishida meets PM Narendra Modi at Hyderabad House in Delhi. pic.twitter.com/JUGj5NN5AX
— ANI (@ANI) March 19, 2022
PM તરીકે Fumio Kishida ની આ પહેલી ભારત મુલાકાત છે. પીએમ પદ સંભાળ્યા બાદ ઓક્ટોબર 2021માં કિશિદાએ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી.
Prime Minister Narendra Modi and Japanese PM Fumio Kishida hold talks at Hyderabad House in Delhi.
— ANI (@ANI) March 19, 2022
(Source: DD) pic.twitter.com/vNocEROSCe
જાપાનના પીએમના કાર્યક્રમ અનુસાર, ફ્યુમિયો કિશિદા 20 માર્ચ, રવિવારે કંબોડિયા માટે ભારતથી રવાના થશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન જાપાન સાથે અનેક કરારો અને રોકાણની વાટાઘાટો શક્ય છે. અગાઉ, નવી દિલ્હી પહોંચતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
