ઝુગ્ગીવાળાને કેજરીવાલે કહ્યુ - હું જીવતો છુ ત્યાં સુધી તમને કોઈ બેઘર નહિ કરી શકે
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તે કોઈ પણ સ્થિતિમાં પાક્કુ મકાન આપ્યા વિના ગરીબ લોકોના ઘર નહિ ઉજડવા દે.
નવી દિલ્લીઃ દિલ્લી વિધાનસભાના એક દિવસના સત્રમાં વિપક્ષ અને સત્તા પક્ષના ધારાસભ્યોએ ઘણા મહત્વના મુદ્દા ઉઠાવ્યા પરંતુ આ સત્રમાં ઝુગ્ગીવાળા વિશે મુખ્ય રીતે વાત કરવામાં આવી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તે કોઈ પણ સ્થિતિમાં પાક્કુ મકાન આપ્યા વિના ગરીબ લોકોના ઘર નહિ ઉજડવા દે. કોરોના મહામારી દરમિયાન 48 હજાર ઝુ્ગ્ગીઓ હટાવવા યોગ્ય નિર્ણય નહિ હોય કારણકે આમ કરવાથી ઝુગ્ગીવાળો વિસ્તાર હૉટસ્પૉટ બનવાનુ જોખમ છે.

તેમને પાક્કા મકાન આપવાની પૂરી કોશિશ કરીશ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એવો નિયમ છે કે ઝુગ્ગી હટાવતા પહેલા પાક્કુ મકાન આપવાનુ હોય છે અને આ કામ માટે તેમની સરકાર કંઈ પણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે આ મારુ વચન છે કે જ્યાં સુધી હું જીવતો છુ ત્યાં સુધી ઝુગ્ગીવાળાને ઉજડવા નહિ દેવામાં નહિ આવે, હું ગરીબોને બેઘર ન કરી શકુ અને તેમને પાક્કા મકાન આપવાની પૂરી કોશિશ કરીશ, હવે તેના માટે મારે કોઈના પણ પગ કેમ ન પકડવા પડે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં ત્રણ મહિનાની અંદર દિલ્લીમાં રેલવે પાટાઓ પાસેની લગભગ 48,000 ઝુગ્ગીઓને હટાવવાના નિર્દેશ આપ્યા છે ત્યારબાદથી ઝુગ્ગીમાં રહેતા લોકોને બેઘર થવાનો ડર સતાવી રહ્યો છે.

રાજધાનીમાં કોરોના નિયંત્રિત હોવાનુ કારણ ટીમ વર્ક છે
દિલ્લીમાં કોરોનાની સ્થિતિ પર અરવિંદ કેજરીવાલે કહ્યુ, દિલ્લીમાં કોરોનાને નિયંત્રિત કરવાનુ એકમાત્ર કારણ છે ટીમ વર્ક. અમે જલ્દી અનુભવી લીધુ કે આટલી મોટી મહામારી છે કે એકલાના વશની વાત નથી. જો દિલ્લી સરકાર એ અહંકારમાં હોતી કે અમે કરીશુ અને અમે એકલા કરીશુ, તો કોરોના કંટ્રોલમાં થવાનો નહોતો. અમે બધાની મદદ લીધી. અમે કેન્દ્ર સરકારની મદદ લીધી અને આજે સંસદના માધ્યમથી કેન્દ્ર સરકારનો આભાર માનવા માંગુ છુ કે શરૂઆતમાં અમારી પાસે પીપીઈ કિટ નહોતી, તેમણે અમને આપી. અમને ઑક્સિજન સિલિન્ડર આપ્યા. જ્યારે જ્યારે અમે તેમની મદદ માંગી, તેમણે અમારી મદદ કરી. સમાજે પણ બહુ મદદ કરી છે, એકલી કોઈ સરકાર નથી કરી શકતી.

અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે
આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઑક્સિમીટર લઈને ઘરે ઘરે જઈ રહ્યા છે. જે સ્તરે ઑક્સિમીટરનુ અભિયાન ચાલી રહ્યુ છે, આમ આદમી પાર્ટીનુ નામ ગિનિસ પુક ઑફ રેકોર્ડમાં આવવુ જોઈએ. આટલા મોટા પાયે આ પૃથ્વી પર ઑક્સિમીટરની કેમ્પેઈન કોઈએ નહિ કર્યુ હોય. આ સમય મોટી મુસીબતનો સમયછે. માનવ જાતીના ઈતિહાસમાં આટલી મોટી મહામારી ક્યારેય નથી આવી, બસ એક જ વસ્તુ આપણે ધ્યાન રાખવાી છે કે અત્યારે રાજનીતિ એક બાજુ મૂકીને બધાએ મળીને સંગઠિત થઈને માનવતા માટે કામ કરવાનુ છે. પોતાનો બધો અહંકાર ભૂલીને બધાએ મળીને કામ કરવાનુ છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
