મોદી સરકાર પર વરસ્યા મનમોહન સિંહ, કહ્યુ - નોટબંધી જેવા ખોટા નિર્ણયોના કારણે દેશમાં વધી બેરોજગારી
દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. 'થિંક ટેંક' રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝ દ્વારા ડિજિટલ માધ્યમથી આયોજિત એક વિકાસ સંમેલનનુ ઉદઘાટન કર્યા બાદ 'પ્રતીક્ષા 2030'ના કાર્યક્રમને સંબોધિત કરીને પૂર્વ પીએમે કહ્યુ કે દેશમાં હાલમાં બેરોજગારી ચરમ પર છે, જેની પાછળ કારણ વર્ષ 2016માં મોદી સરકાર તરફથી સમજ્યા વિચાર્યા વિના નોટબંધીના નિર્ણયને લાગુ કરવાનુ હતુ. મોદી સરકારના આ પગલાંને બેરોજગારી અને અસ્થિરરતાને જન્મ આપ્યો જેનાથી અસંગઠિત ક્ષેત્ર બરબાદ થઈ ગયુ.

ઋણ સંકટ પેદા થઈ શકે
એટલુ જ નહિ દેશના પૂર્વ પીએમે કહ્યુ કે દેશા નાણાકીય સંકટને છૂપાવવા માટે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક અસ્થાયી ઉપાય લાગુ કરી રહ્યા છે જેના કારણે ઋણ સંકટ પેદા થઈ શકે કે જે નાના અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને પ્રભાવિત કરશે જેને રોકવા તત્કાળ પ્રભાવથી ઘણુ જરૂરી છે નહિતર સ્થિતિ વધુ વિકટ થઈ જશે. તેમણે રાજ્ય સરકારોને સતત સંવાદ ન કરવા માટે પણ કેન્દ્ર સરકારની જોરદાર ટીકા કરી.

કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ સુસ્ત
તમને જણાવી દઈએ કે આ સંમેલન ડિજિટલ હતુ જેનુ આયોજન એક દ્રષ્ટિ પત્ર રજૂ કરવા માટે કરવામાં આવ્યુ, જે કેરળમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા રાજ્યના વિકાસ પર લેખા-જોખાના પ્રારુપને રજૂ કરવા માટે આયોજિત કરવામાં આવ્યુ હતુ. મનમોહન સિંહે કહ્યુ કે કેરળના સામાજિક માનદંડ ઉચ્ચ છે પરંતુ એવા અન્ય ક્ષેત્ર પણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ સસ્તી થઈ ગઈ છે જેની અસર કેરળ પર પડી છે. કેરળનુ પર્યટન ક્ષેત્ર પણ મહામારીના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. આઈટી ક્ષેત્ર ભલે ડિજિટલના કારણે ગ્રો કરી શકે છે પરંતુ બાકીના ક્ષેત્રો ખાસ કરીને પર્યટનને કોરોનાએ ઘણુ નુકશાન કર્યુ છે. તેનાથી બહાર નીકળવા માટે આપણે એક રણનીતિ હેઠળ કામ કરવુ પડશે.

નબળા વર્ગોની એક મોટી સંખ્યા ગરીબીમાં આવી શકે છે
મનમોહન સિંહે કહ્યુ કે આપણા સમાજના નબળા વર્ગોની એક સંખ્યા ગરીબીમાં આવી શકે છે. આ એક વિકાસશીલ દેશ માટે દુર્લભ ઘટના છે. ગંભીર બેરોજગારીના કારણે એક આખી પેઢી ખતમ થઈ શકે છે. સંકુચિત અર્થવ્યવસ્થાના કારણે નાણાકીય સંશાધનોમાં ઉણપના કારણે પોતાના બાળકોને ખવડાવવા અને ભણાવવાની આપણી ક્ષમતા પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે. આર્થિક સંકોચનનો ઘાતક પ્રભાવ લાંબો અને ઉંડો છે. ખાસ કરીને ગરીબો પર, જેના પર ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે આ વાતો થોડા સમય પહેલા બીબીસી સંવાદમાં પણ કહી હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
