Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરનાલમાં ખેડૂતોનું પ્રદર્શન પુરૂ: સરકારે 2 માંગણીઓ માની, 1 મહિનામાં લાઠીચાર્જ મામલાની થશે તપાસ

હરિયાણાના કરનાલ જિલ્લામાં ખેડૂતોની હડતાલ સમાપ્ત થઈ ગઈ છે. પોલીસ-વહીવટીતંત્ર સાથે ખેડૂતોની વાટાઘાટોમાં બે માંગણીઓ પર સંમતિ સધાઈ હતી. જેમાં પહેલા પોલીસે કરેલા લાઠીચાર્જ કેસની તપાસ કરવામાં આવશે. તે જ સમયે, બીજા મૃતકના સગાને

હરિયાણાના કરનાલ જિલ્લામાં ખેડૂતોની હડતાલ સમાપ્ત થઈ ગઈ છે. પોલીસ-વહીવટીતંત્ર સાથે ખેડૂતોની વાટાઘાટોમાં બે માંગણીઓ પર સંમતિ સધાઈ હતી. જેમાં પહેલા પોલીસે કરેલા લાઠીચાર્જ કેસની તપાસ કરવામાં આવશે. તે જ સમયે, બીજા મૃતકના સગાને ડીસી દરે નોકરી આપવામાં આવશે. તેમજ આરોપી SDM ને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

Karnal

હરિયાણા સરકારના અધિક મુખ્ય સચિવ દેવેન્દ્ર સિંહે ખેડૂત નેતાઓ સાથે થયેલા કરાર અંગે માહિતી આપી. દેવેન્દ્ર સિંહે આજે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. સરકારે 28 ઓગસ્ટના બસ્તારા ટોલ પર બનેલી ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા હાથ ધરવામાં આવશે. બેઠક બાદ અધિક મુખ્ય સચિવે ખેડૂત આંદોલનકારીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, "એક મહિનામાં તપાસ પૂર્ણ થશે. દરમિયાન, ભૂતપૂર્વ SDM આયુષ સિન્હા, જે IAS અધિકારી છે ... તેઓ રજા પર રહેશે. "

અધિક મુખ્ય સચિવ દેવેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે એ પણ નક્કી કર્યું છે કે મૃતક ખેડૂત સતીશ કાજલના પરિવારના બે સભ્યોને ડીસી દરે મંજૂર પોસ્ટ પર નોકરી અને વળતર આપવામાં આવશે."

સરકારના આ નિર્ણય પર કેટલાક ખેડૂત નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે ખેડૂત નેતાઓએ કહ્યું કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ સાથે કરનાલમાં ધરણા બંધ કરી દેવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો અને વહીવટી અધિકારી વચ્ચે કરાર શુક્રવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો, જેની જાણ બંને પક્ષો દ્વારા શનિવારે એટલે કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે સમજૂતી થતાં જ શનિવારે સવારે મળનારી બેઠક રદ કરવામાં આવી હતી. આ પછી ખેડૂતોએ પણ પ્રદર્શન સમેટી લીધુ હતુ.

તપાસ એક મહિનામાં પૂર્ણ થશે, પછી કાર્યવાહી કરાશે

પ્રદર્શનકારીઓને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કરનાલ લાઠીચાર્જ કેસની તપાસ એક મહિનામાં પૂરી થશે. કરનાલના એક ખેડૂત નેતાએ પણ આવું જ કહ્યું હતું. તેમણે કહ્યું, "કરનાલ વહીવટીતંત્રના અધિકારીઓ બસ્તરા ટોલ પર ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની તપાસ કરવા સંમત થયા છે. તેમણે કહ્યું કે તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે, જે એક મહિનામાં પૂર્ણ થશે. તે જ સમયે, જે SDM સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી, તે હવે ફરજ પર રહેશે નહીં. ખેડૂતોની આ માંગ સ્વીકારવાની સાથે સાથે વહીવટીતંત્રે IAS આયુષ સિન્હાને રજા પર મોકલી દીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X