લોકસભામાં પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા દેવગૌડા, મહાગઠબંધનને લઈ આપ્યં મોટું નિવેદન
લોકસભામાં પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા દેવગૌડા
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ ભાજપના એ દાવાને ફગાવી દીધો કે મહાગઠબંધન કામ નહિ કરે. દેવગૌડાએ ખદની સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે કેટલીય પાર્ટીઓની સાથે મળીને તેમણે સરકાર બનાવી અને આ વાત સાબિત કરી છે કે મહાગઠબંધન કામ કરી શકે છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ ધન્યવાદ પ્રસ્તાવ દરમયાન એચડી દેવગૌડા ભાવુક થઈ ગયા.

મહાગઠબંધન પર શું બોલ્યા દેવગૌડા
85 વર્ષના દેવગૌડાએ કહ્યું કે 57 વર્ષ તેમણે દેશ અને પ્રદેશ સ્તર પર રાજનીતિમાં વિતાવ્યા, લોકસભાનું આ તેમનું અંતિમ ભાષણ છે. પોતાના કાર્યકાળના બે દિવસને યાદ કરતા દેવગૌડાએ કહ્યું કે જ્યારે વર્ષ 1996માં તેમને વડાપ્રધાન બનાવવાની વાત થઈ રહી હતી તો તેઓ બહુ ઈચ્છુક નહોતા કેમ કે આ સરકાર કેટલીય પાર્ટીઓ મળીને ચલાવનાર હતી. ઉલ્લેખનીય છે કે એચડી દેવગૌડા 1996થી 1997ની વચ્ચે ભારતના વડાપ્રધાન રહ્યા હતા.

વાજપેયીએ પણ ગઠબંધનની સરકાર ચલાવી હતી- દેવગૌડા
દેવગૌડાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુ, વીપી સિંહને પહેલા પીએમ બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો પરંતુ એ દિવસો દરમિયાન નેતાઓની ના પાડ્યા બાદ તેમના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. દેવગૌડાએ કહ્યું, 'એ સમયે મેં વૉલિન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને તત્કાળિન નાણા મંત્રી પી. ચિદમ્બરમે ફગાવી દીધો હતો.' દેવગૌડાએ કહ્યું કે ગઠબંધનનો વિરોધ ન કરે. એક સમયે અટલ બિહારી વાજપેયીએ પણ ગઠબંધનની સરકાર ચલાવી હતી. દેવગૌડાએ કહ્યું કે આંતરિક સમજૂતીની સાથે ગઠબંધનની સરકાર ચલાવી શકાય છે. કોઈએ પણ પોતાના મતભેદ જાહેર ન કરવા જોઈએ.

પીએમ મોદીએ મહાગઠબંધન પર કર્યો હતો વાર
અગાઉ પીએમ મોદીએ વિપક્ષી દળોના સંભવિત ગઠબંધન પર હુમલો બોલ્યો હતો અને કહ્યું હતું કે આ મહાગઠબંધન નહિ બલકે મહામિલાવટ છે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશની જનતાને પૂર્ણ બહુમતવાળી સરકાર ચૂંટી અને દેશ અનુભવ કરે છે, જ્યારે મિલાવટી સરકાર હોય છે ત્યારે શું હાલ થાય છે, અને હવે તો મહામિલાવટી આવનાર છે. આ મહામિલાવટી અહીં પહોંચશે નહિ, એને તમે કોલકાતામાં એકઠી કરો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
