ગોપનિય રીતે ભુલ્લરને આપવામાં આવી શકે છે ફાંસી?

bhullar
નવી દિલ્હી, 15 એપ્રિલ: ખાલિસ્તાની આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લર વિશે એક નવો ખુલાસો કર્યો છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે ભુલ્લરને ફાંસી આપવામાં આવી શકે છે અને આ કામને સંપૂર્ણ ગોપનિય રીતે પાર પાડવામાં આવશે. માનવામાં આવે છે કે ભુલ્લરને જલદી જ તેના માટે તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

અફજલ ગુરૂ અને આમિર અજમલ કસાબની ફાંસી બાદ સરકાર માટે આ મોટો પડકાર છે તે ભુલ્લરની ફાંસીને કયા પ્રકારે આપે છે, આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરની મોતની સજા ઘટાડવાની તેની અરજી સુપ્રિમ કોર્ટમાં નકારી કાઢ્યા બાદ અકાળી દળ (શિઅદ) પુનરીક્ષણ અરજી દાખલ કરવા માટે વિચાર કરી રહ્યો છે.

સુપ્રિમ કોર્ટે 12 એપ્રિલના રોજ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદીની અરજીને નકારી કાઢી હતી જેમાં તેને દયા અરજીમાં મોડું થવાનો હવાલો આપીને મોતની સજાને આજીવન કારાવાસમાં ફેરવાની માંગણી કરી હતી.

ભુલ્લરને સપ્ટેમ્બર 1993માં બોમ્બ વિસ્ફોટ કરી નવ લોકોની હત્યા કરવાના અને યુથ કોંગ્રેસના અધ્યક્ષ એમ. એસ. બિટ્ટા સહિત 25 લોકોને ઇજા પહોંચાડવાના ગુનામાં મોતની સજા સંભળાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X