કોલસા કૌભાંડઃ સરકારના ઇશારે બદલાવાયો CBI નો સ્ટેટસ રિપોર્ટ?
અખબારમાં જણાવ્યા પ્રમાણે કાયદામંત્રી સાતે સીબીઆઇના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં આ રિપોર્ટમાં ઘણા સંશોધન સુઝાવ આપવામાં આવ્યા હતા અને સીબીઆઇએ તેને માની લીધા હતા. અખબારમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સીબીઆઇના નિદેશક રંજીત સિન્હા પણ ઉપસ્થિત હતા.
સીબીઆઇના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી કાર્યાલાયના અધિકારીએ પણ રિપોર્ટની તપાસ કરી હતી. 8 માર્ચે સુપ્રિમ કોર્ટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં સીબીઆઇનું વલણ સરકારના વલણ કરતા અલગ હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 2006થી 2009 દરમિયાન કોલસા ખાણોની ફાળવણીમાં ગોટાળા થયા હતા. કંપનીઓની વિશ્વસનિયતા ચકાસ્યા વગર તેમને ખાણોની ફાળવણી કરવામાં આવી હતી.
ભાજપે તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં વિપક્ષ નેતા સુષમા સ્વરાજે ટ્વિટર પર કહ્યું કે આ ગંભીર મામલો છે અને પ્રધાનમંત્રીને બચાવવા માટે સીબીઆઇ તેના પર દબાણ કરવામાં આવ્યું હોવાના પુરાવા છે. રાજ્યસભામાં વિપક્ષ નેતા અરુણ જેટલીએ પણ આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે અને આ કૌભાંડની તપાસ વિશેષ તપાસ દળ(એસઆઇટી) દ્વારા કરાવવાની માંગ કરી છે. જેટલીએ કહ્યું કે, યુપીએ એક દુષ્ટ સરકાર છે. જે સીબીઆઇને સ્વતંત્ર રીતે કામ નથી કરવા દેતી.