રાજનાથના રાત્રિભોજમાં મોદી અને અડવાણીનો મનભેદ દૂર થયો?
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુરુવારે રાત્રે નવી દિલ્હી ખાતે પાર્ટીના સાંસદો માટે યોજેલા એક રાત્રિ ભોજમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્ટાર અતિથિ હતા. આ ભોજન દરમિયાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી એક જ ટેબલ પર બેઠા હતા. બંને એક બીજા સાથે ઉત્સાહપૂર્વક વાત કરતા જોવા મળ્યા હતા.
પાર્ટીના સાંસદો માટે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા વાર્ષિક રાત્રિભોજમાં મોદી એક માત્ર વિશેષ અતિથિ હતા. આ સમારંભમાં નરેન્દ્ર મોદી વહેલા પહોંચી ગયા હતા અને આવનારા સાંસદોની સાથે ખુશીથી મળીને વાતો કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ એલ કે અડવાણી લોકસભામાં જમીન સંપાદન ખરડા પર મતદાનમાં ભાગ લઇને રાત્રે 10 વાગ્યા બાદ ભોજન સમારંભમાં પહોંચ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે તેઓ નરેન્દ્ર મોદી સાથે એક જ ટેબલ પર બેઠા હતા. તેઓ ભાજપની ચૂંટણી સમિતીના અધ્યક્ષ મોદીની બિલકુલ બાજુમાં જ બેઠા હતા. બંને એક બીજા સાથે ખુલીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ ટેબલ પર સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી પણ બેઠા હતા.
આ દ્રશ્ય જોઇને ઘણા લોકો કહી રહ્યા છે કે રાજનાથ સિંહની ડિનર ડિપ્લોમસી નરેન્દ્ર મોદી અને અડવાણીના મનભેદને દૂર કરવામાં કામ કરી ગઇ છે. જો કે આ વાસ્તવિકતા છે કે માત્ર દેખાડો તે આગામી સમયમાં વધારે સ્પષ્ટ થઇ શકશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
