છત્તીસગઢ નસબંધી કાંડમાં 15 મહિલાઓના મોત, ડૉક્ટર ગુપ્તાની ધરપકડ
છત્તીસગઢ, 13 નવેમ્બર: બિલાસપુરમાં બેદકારી દાખવતાં નસબંધી ઓપરેશન કરનાર ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉક્ટર આરકે ગુપ્તાએ ફક્ત છ કલાકમાં જ એંસીથી વધુ નસબંધી ઓપરેશન કરી દિધા હતા. જ્યારે નિયમ અનુસાર એક દિવસમાં પાંત્રીસ ઓપરેશનથી વધુ ન કરી શકાય.

અત્યાર સુધી 15 લોકોના જીવ ગયા
ઓપરેશન બાદ મહિલાઓ જેવી પોત-પોતાના ઘરે પરત ફરી રહી હતી તે સમયે તેમના પેટમાં દુખાવો અને ઉલટીઓ શરૂ થઇ ગઇ. એટલામાં હાલત વધુ બગડતાં મહિલાઓને એક પછી એક હોસ્પિટલમાં ભરતી કરાવવી પડી. પરંતુ 15 મહિલાઓને બચાવી ન શકાઇ.
જો કે, બિલાસપુરમાં નસબંધી કેંપ દરમિયાન ફક્ત છ કલાકમાં 83 મહિલાઓના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. તાજા જાણકારી અનુસાર ઘણી મહિલાઓની હાલત હજુ સુધી નાજુક છે. તાજા અપડેટ એ છે કે મરનાર મહિલાઓની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
