એ ડૉક્ટરો, જેમણે 2020માં કોવિડ-19થી પોતાના જીવ ગુમાવ્યા
એ ડૉક્ટરો, જેમણે 2020માં કોવિડ-19થી પોતાના જીવ ગુમાવ્યા
ભારતમાં વર્ષ 2020માં કોવિડ-19થી 1,45,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનારાઓમાં ઘણાં ડૉક્ટરો અને નર્સો પણ સામેલ છે, જેઓ કોરોના વાઇરસ સામે લડતાં હતાં.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના એક અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2020 સુધીમાં 500થી વધુ ડૉક્ટરોએ કોવિડ-19 મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મોટા ભાગે તેઓ સામાન્ય પ્રૅક્ટિશનરો હતા અને તેમની ઉંમર 41થી 60 વર્ષની વચ્ચેની હતી.
સૌથી વધુ 40થી વધુનાં મોત સાથે તામિલનાડુ રાજ્ય પહેલું છે, જેમાં ડૉક્ટરોને સૌથી વધુ જાનહાનિ થઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતનો નંબર આવે છે.
આ ફેસવૉલ એ તમામ ડૉક્ટરોને શ્રદ્ધાંજલિ આપે છે જેઓ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં.
આ સૂચિમાં 382 ડૉક્ટરોનાં નામ અને ફોટા સામેલ છે, જે શરૂઆતમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને એક વાર ડૉક્ટરોની સંપૂર્ણ વિગતો નોંધ્યા પછી તેને અપડેટ કરવામાં આવશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો