Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું કોરોનાની વેક્સીન માટે સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા છે? અદાર પૂનાવાલાનો સવાલ

શું કોરોનાની વેક્સીન માટે સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા છે? અદાર પૂનાવાલાનો સવાલ

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ ઉદાર પૂનાવાલાએ શનિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને એક મહત્વનો સવાલ કર્યો. આદર પૂનાવાલાએ સરકારને કોરોના વાયરસ મહામારીથી લડવામાં ભારતના આગલા પડકાર પર વાત કરતાં સવાલ પૂછ્યો કે, કોવિડ-19ની રસીખરીદવા અને વિતરણ કરવા માટે આગલા વર્ષે ખર્ચ થનાર 80 હજાર કરોડ સરકાર પાસે છે?

corona vaccine

અદાર પૂનાવાલાએ ટ્વીટમાં લખ્યું, "શું કોરોનાની સરકાર ખરીદવા માટે સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા છે, કેમ કે ભારતમાં બધા માટે રસી ખરીદવા અને વિતરણ કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આટલી રકમની જરૂરત છે." આની સાથે જ પૂનાવાલાએ પીએમ કાર્યાલયને ટેગ કરીને લખ્યું, "આ આગલો પડકાર છે, જેનાથી આપણે નિપટવું પડશે."

જણાવી દઈએ કે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા, ઉત્પાદિત ડોઝની સંખ્યાના હિસાબે દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા છે, જે કોરોના વાયરસ માટે કેટલીય વિવિધ વેક્સીન પર કામ કરી રહ્યા છે. અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ છે. તેમના પિતા ડૉ સાઈરસ પૂનાવાલાએ જ વર્ષ 1966માં સીરમ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી હતી. અદાર પૂનાવાલાએ પોતાના પિતાની કંપનીને 2011માં જોઈન કરી હતી. માનવામાં આવે છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટને આગળ વધારવા અને ઈન્ટરનેશનલ ગ્રોથમાં તેમનું મોટું યોગદાન છે. તેઓ 2011માં કંપનીના સીઈઓ બન્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X