જ્યાં કુતરાં અને બિલાડીઓ ઉંઘે છે ગાદલા પર
નરસિંહપુરની ઋષા પ્રિયદર્શ માટે જાનવરોનું દુઃખ દુર કરવો જ જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. તે જણાવે છે કે, એકવાર રસ્તાં પર બિમાર કુતરાંની સ્થિતિ જોઇને તેનું દીલ પીગળી ગયુ અને તે તેને પોતાના ઘરે લઇ આી, તેની સેવા-ચાકરી કરી તેને સુખનો અનુભવ કરાવ્યો. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે જાનવરોની સેવા જ તેના જીવનનો ધ્યેય બની ગયો. ઋચા એ પોતાના આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે માતા માધુરીનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
માધુરી કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય છે અને સેવાનિવૃત્ત થયા બાદ પુત્રીની પશુસેવા અભિયાનનો સાથ નિભાવી રહ્યાં છે. રસ્તા પર ફરતા અને બીમારી સામે ઝઝુમતા કુતરાં, બિલ્લી, બકરી વગેરે જ્યારે પણ ઋચાની જરમાં આવે છે, તે તેમને પોતાના ઘરે લઇ આવે છે, એટલું જ નહીં, આ જાનવારને પોતાના હાથે ખાવાનું ખવડાવે છે અને તેમની દેખભાળ કરે છે. તેમના ઘરમાં જાનવરોને ઉંઘવા માટે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખાવનું આપવા માટે વાસણ પણ છે. જ્યારે કોઇ જાનવર ઉમર કરતા નાનું હોય છે અથવા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ હોય છે તો તેને બોટલથી દૂધ પીવડાવવામાં આવે છે.