એર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ
એર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ છે. આ અફવાહને કારણે એર ઇન્ડિયાની ફ્લાઈટ સંખ્યા 191 લંડનના સ્ટેનસ્ટેન્ડ પર લેન્ડ કરાવવામાં આવી
એર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાહ છે. આ અફવાહને કારણે એર ઇન્ડિયાની ફ્લાઈટ સંખ્યા 191 લંડનના સ્ટેનસ્ટેન્ડ પર લેન્ડ કરાવવામાં આવી. આ મામલે હજુ વધારે જાણકારી આવે તેની રાહ જોવામાં આવી રહી છે. એર ઇન્ડિયા ઘ્વારા આ મામલે અધિકારીક પુષ્ટિ કરવામાં આવી છે.
એરપોર્ટ પર પૂછપરછ ચાલુ
ધ મિરર ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર બોમ્બની અફવાહ પછી રોયલ એરફોર્સ તરફથી ટાયકૂન ફાઈટર જેટ્સને તરત રવાના કરી દેવામાં આવ્યું છે. હજુ સુધી આ બાબતે કોઈ ખાસ માહિતી નથી મળી શકી કે જેટ્સ આ એરક્રાફ્ટને સુરક્ષા માટે રવાના કરવામાં આવ્યું હતું કે પછી કોઈ બીજા કારણસર તેને રવાના કરવામાં આવ્યું હતું. હાલમાં એરપોર્ટ પર ઓફિસરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સ્ટેનસ્ટેન્ડ એરપોર્ટ ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર કહેવામાં આવ્યું કે સ્થાનીય સમય અનુસાર સવારે 10 લગભગ વાગીને 15 મિનિટ પર ફ્લાઈટ લેન્ડ કરાવવામાં આવી છે. ફ્લાઈટ એરપોર્ટના એવા ભાગમાં છે, જે બિલકુલ દૂર છે. મુખ્ય ટર્મિનલ પર આ ઘટનાની કોઈ જ અસર નથી પડી. હજુ સુધી આ મામલે કોઈ જ જાણકારી નથી મળી શકી કે ફ્લાઈટમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા.
Breaking
— Nagarjun Dwarakanath (@nagarjund) June 27, 2019
Bomb threat - Airindia flight
AI 191 Mumbai- Newark of 27.06.19 has made a precautionary landing at London Stansted Airport due to bomb threat .