કઈ બિમારીને કારણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું થયુ નિધન? AIIMSની રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. મનમોહન સિંહે ગુરુવારે 26 ડિસેમ્બરે રાત્રે 9.51 કલાકે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
પૂર્વ પીએમ મનમોહન સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. AIIMSએ મનમોહન સિંહના નિધનની પુષ્ટિ કરતું બુલેટિન જારી કર્યું છે. આ ઉપરાંત તેમના મૃત્યુનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. AIIMS દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે.
મનમોહન સિંહ વય સંબંધિત બિમારીઓને કારણે સારવાર હેઠળ હતા અને 26 ડિસેમ્બર 2024ના રોજ અચાનક ઘરે બેહોશ થઈ ગયા. તેમની ઘરે સારવાર શરૂ કરવામાં આવી હતી અને રાત્રે 8:06 વાગ્યે નવી દિલ્હીની AIIMSની મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહોતા.

રાત્રે યાદશક્તિ ગુમાવી દીધી
બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે 26મી ડિસેમ્બરની રાત્રે તેમણે અચાનક યાદશક્તિ ગુમાવી દીધી હતી. મનમોહન સિંહને રાત્રે 9.51 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી છે જે વધતી ઉંમર સાથે વધુ સામાન્ય બની જાય છે.
સ્વાસ્થ સંબંધિત સમસ્યા નડે છે
વાસ્તવમાં, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ તેને ઘણીવાર વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વય-સંબંધિત પરિસ્થિતિઓ શરીરમાં થતા શારીરિક ફેરફારોને કારણે ઊભી થાય છે. આવા ફેરફારો વિવિધ તબીબી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા બગડી શકે છે.
ઉંમર વધતા બિમારીઓ વધે છે
વૃદ્ધોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સામાન્ય છે. હાઈ બ્લડ પ્રેશર, એથરોસ્ક્લેરોસિસ, હૃદયની નિષ્ફળતા અને અનિયમિત હૃદય લય જેવી સ્થિતિઓ સામાન્ય બની રહી છે. જેમ જેમ આપણી વય વધે છે, તેમ, રક્તવાહિનીઓ સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને પ્લેકથી ભરાઈ જાય છે, જેનાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
