હવે મુલાયમે પણ કહ્યું જલદી યોજાશે લોકસભાની ચૂંટણી

mulayam-singh
લખનઉ, 30 ઑક્ટોબર: રવિવારે મનમોહન સરકારે પોતાના કેબિનેટમાં ફેરબદલ કર્યો અને વિશ્વાસ અપાવ્યો કે આ વખતે તેમની સેના પહેલાં કરતાં સારું પરિણામ આપશે પરંતુ વિરોધીઓની છોડો પર તેમના સહયોગી દળ પણ વચગાળાની ચૂંટણી તરફ ઇશારો કરે છે. આ વખતે લોકસભા ભંગ થવાની વાત સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહે કરી છે. મુલાયમ સિંહે પોતાની પાર્ટીના લોકોને કહ્યું હતું કે અત્યારથી પાર્ટી માટે મહેનત શરૂ કરી દે કારણ કે લોકસભાની ચૂંટણી સમય કરતાં પહેલાં યોજાઇ શકે છે.

મુલાયમ સિંહે કહ્યું હતું કે દેશની પ્રજા મોંઘવારીના કારણે ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે લાગી રહ્યું છે કે સરકાર પાંચ વર્ષ પુરા કરી શકશે નહી. માટે હું મારી પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તે હવે મહેનત શરૂ કરી દે જેથી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી વધુમાં વધુ સીટ મેળવી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમય કરતાં પહેલાં યોજાવવાની વાત રવિવારે જેડીયૂ સુપ્રિમો શરદ યાદવે પણ કરી હતી. જ્યારે રવિવારે પોતાના નવા કેબિનેટ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સરકારના સિપાહી પહેલાં કરતાં સારું પ્રદર્શન કરશે. તેમને કહ્યું હતું કે તેમને લાગતું નથી કે 2014 પહેલાં સામાન્ય ચૂંટણી યોજાય પરંતુ તે તરફ ઇશારો કર્યો હતો કે સરકાર માટે આવનાર દિવસો પડકારરૂપ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X