Earth's Inner Core : પૃથ્વીનું કેન્દ્ર થઇ જશે સ્થિર પછી ફરશે વિરુદ્ધ દિશામાં, જાણો આપણા પર તેની શું થશે અસર
પૃથ્વી સાથે જોડાયેલા આવા ઘણા રહસ્યો છે, જેને જાણવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પૃથ્વી માટે ચાલી રહેલા શંસોધનમાં તે ઘણા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, પૃથ્વીનું કેન્દ્ર એક દિવસ ફરવાનું બંધ કરશે.
Earth's Inner Core : પૃથ્વી સાથે જોડાયેલા ઘણા રહસ્યો હજૂ પણ વણઉકેલ્યા છે. આ માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત સંશોધન કરતા રહે છે. પૃથ્વી સંબંધિત ચાલી રહેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, પૃથ્વીનું કેન્દ્ર એક દિવસ ફરવાનું બંધ કરી દે છે. આ સાથે તે બાદ વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલું કરી દે છે. પૃથ્વીનું કેન્દ્ર જ્યારે રોકાશે અને વિરુદ્ધ દિશામાં ફરવા લાગશે, તો તેની અસર આપણા પર શું થશે?
ઉલ્લેખનીય છે કે, પૃથ્વીનું કેન્દ્ર સતત ફરતું રહે છે. ગરમ અને ઘન આયર્નના આંતરિક ગોળાના પરિભ્રમણને કારણે, પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ છે. આ કેન્દ્રના એક જ દિશામાં પરિભ્રમણને કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે. હવે એ ઘટના વિશે વાત કરીએ, જ્યારે પૃથ્વીનું કેન્દ્ર ફરવાનું બંધ કરશે.
અત્રે નોંધનીય છે કે, વૈજ્ઞાનિકો અને સિસ્મોલોજિસ્ટને તેમના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પૃથ્વીના કેન્દ્રના પરિભ્રમણની દિશામાં ફેરફાર થવાનો છે. આવું થાય તે પહેલાં, કેન્દ્ર થોડા સમય માટે ફરવાનું બંધ કરશે. નેચર જીઓસાયન્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, પૃથ્વીના કેન્દ્રના પરિભ્રમણને કારણે, ઉપરની સપાટીને સ્થિરતા મળે છે.
કેન્દ્રના પરિભ્રમણની દિશા લગભગ દર 70 વર્ષ બાદ બદલાય છે. આ પરિવર્તન લગભગ 17 વર્ષની અંદર થશે અને પૃથ્વીનું કેન્દ્ર વિરુદ્ધ દિશામાં ફરવાનું શરૂ કરશે.
હવે તેની અસર જાણીએ
પૃથ્વીના કેન્દ્રના પરિભ્રમણની દિશામાં ફેરફારને કારણે, ન તો પૃથ્વી વિસ્ફોટ કરશે અને ન તો કોઈ હોલોકોસ્ટ આવશે. આ ઘટનાને કારણે ન તો પૃથ્વી અને ન તો આ ગ્રહ પર રહેતા જીવોને કોઈ અસર થશે. આ વર્ષ 1936માં શોધાયું હતું. તેની શોધ ડચ સિસ્મોલોજીસ્ટ ઈંગે લેહમેન દ્વારા કરવામાં આવી હતી.