For Quick Alerts
For Daily Alerts
અંદમાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે.
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકશાનના હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી. ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ પહેલા 21 મેના રોજ પણ અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. ગયા બુધવારે ગુજરાતના બનાસકાંઠામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની તીવ્રતા 2.3 માપવામાં આવી.
આ પણ વાંચોઃ દિલ્લીમાં ગઈ રાતે વરસાદથી લોકોને ગરમીમાં અમુક અંશે રાહત
Comments
English summary
Earthquake in Andaman Islands region of 4.9 magnitude.
Story first published: Tuesday, June 18, 2019, 8:21 [IST]