અંદમાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે.
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ગઈ રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકા ગઈ રાતે 3.49 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકશાનના હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી. ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ પહેલા 21 મેના રોજ પણ અંદમાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. ગયા બુધવારે ગુજરાતના બનાસકાંઠામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની તીવ્રતા 2.3 માપવામાં આવી.













Click it and Unblock the Notifications
