ભારત-મ્યાનમાર બૉર્ડર પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા, તીવ્રતા 6.1
મ્યાનમાર અને ભારતની સીમા પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે.
નવી દિલ્લીઃ મ્યાનમાર અને ભારતની સીમા પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવ્યા છે. ભૂકંપના ઝટકા બાંગ્લાદેશના ચિટગાંવ અને કોલકત્તામાં અનુભવાયા છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલૉજી સેન્ટરના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે ચિટગાંવમાં ખૂબ તેજ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આનુ કેન્દ્ર 184 કિલોમીટર દૂર પશ્ચિમમાં હતુ. વળી, મિઝોરમના થેંજાલમાં પણ તેજ ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર અહીં ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવ્યા છે. અહીં ભૂકંપના ઝટકા સવારે 5.15 વાગે નોંધવામાં આવ્યા છે.
જો કે ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના ઝટકા બાંગ્લાદેશમાં પણ અનુભવાયા. બાંગ્લાદેશ સાથે જ પશ્ચિમ બંગાળ અને મિઝોરમમાં પણ આ ઝટકા અનુભવાયા. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મિઝોરમના થેંજોલથી 73 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સવારે 5.15 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા.