For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા

રિક્ટર સ્કેલ પર ભૂકપની તીવ્રતા 3.9 નોંધાઇ છે. જો કે હજી સુધી ભૂકંપના ઝાટકાથી કોઇ નુકસાનીના અહેવાલ મળ્યા નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં આઝે ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. જાણકારી મુજબ ભૂકંપના ઝાટકા પૂર્વી કટરાથી 88 કિમી દૂરી પર મહેસૂસ કરાયા છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી મુજબ આજે સવારે 4.55 વાગ્યે આ ઝાટકા મહેસૂસ કરાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકપની તીવ્રતા 3.9 નોંધાઇ છે. જો કે હજી સુધી ભૂકંપના ઝાટકાથી કોઇ નુકસાનીના અહેવાલ મળ્યા નથી.

earthquake

જણાવી દઇએ કે અગાઉ 8 જુલાઇએ પણ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. જાણખારી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. બૂકંપના ઝાટકામાં કોઇપણ પ્રકારનું નુકસાન નહોતું થયું. ઝાટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરેથી નીકળી આવ્યા અને મોડે સુધી બહાર જ બેસી રહ્યા હતા. લોકોમાં દહેશતનો માહોલ હતો. જણાવી દઇએ કે અગાઉ પણ ગત કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરના અલગ અલગ ભાગોમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 4 જલાઇની સવારે કારગિલમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાય હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. જમ્મુ કાશ્મીરમાં ગત ત્રણ દિવસોથી ચાર વખત ભૂકપ આવવાથી લોકોમાં ભયનો માહોલ બની ગયો છે. અગાઉ 14થી 16 જૂન દરમિયાન ત્રણ વાર જમ્મુ અને કાશ્મીરની ધરા ધ્રૂજી હતી. 16 જૂને આવેલ ભૂકંપનું કેન્દ્ર પણ કટરાથી 85 કિમી પૂર્વમાં હતું અને તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. 16 જૂનની સવારે 7 વાગ્યે પણ મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે સવારે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન ક્ષેત્રમાં હતું અને તેની ઉંડાઇ પૃથ્વીથી 100 કિમી હતી.

આ બેંકે ખાતાધારકોને ઝાટકો આપ્યો, 1 ઓગસ્ટથી બદલાઇ જશે આ નિયમોઆ બેંકે ખાતાધારકોને ઝાટકો આપ્યો, 1 ઓગસ્ટથી બદલાઇ જશે આ નિયમો

English summary
earthquake of 3.9 magnitudes felt in jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X