નવી દિલ્હી, 9 મે: ચૂંટણી પંચે તમામ ટીવી ચેનલોને નિર્દેશ કરતા પોતાના આદેશમાં જણાવ્યું છે કે 12 મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ 6.30 વાગ્યા બાદથી એક્ઝિટ પોલ બતાવી શકાશે.
ચૂંટણી પંચે એ પણ જણવ્યું છે કે જો આપેલા સમય પહેલા કોઇ ટીવી ચેનલે એક્ઝિટ પોલ ને ઓપીનિયન પોલ બતાવીને દર્શાવ્યો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો પ્રસારણ લાયસન્સના રદ કરવા સુધી પહોંચી શકે છે.
સંપતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલ બતાવવાથી દર્શકોનો દ્રષ્ટિકોણ પરિવર્તિત કરી શકાય છે. પંચે એ પણ જણાવ્યું હતું કે એવું કરવાથી કોઇ એક વિશેષ પાર્ટી અથવા વ્યક્તિને ખૂબ જ ફાયદો પણ પહોંચી શકે છે.
Comments